SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય ખંડ : ૧૪૩: હોય, જે મારે ચઉરિન્દ્રિય જીવેને નાશ કરી ઉત્પન્ન કરેલા રેશમનાં કપડાં કે રેશમની ચીજો વાપરવી હોય, જે મારે પંચેન્દ્રિય માછલીઓનો નાશ કરી મેળવેલાં મોતીના દાગીના પહેરવા હોય, અને એ જ પ્રમાણે ઉગ્ર હિંસાથી નીપજેલા બીજા કેઈ પદાર્થોને ઉપલેગ મારે કરે હોય તે તેમાં થયેલી પ્રાણીહિંસાના દોષમાં મારી ભાગીદારી નેંધાવવા સિવાય છૂટકો નથી. શ્રેયાર્થીએ કઈ પણ વસ્તુને ઉપયોગ કરતા પહેલાં વિચારવું આવશ્યક છે કે તે વસ્તુ અલ્પારંભી છે કે મહારંભી? અપારસી વસ્તુથી તે ચલાવે, પણ મહારંભી વસ્તુ ન વાપરે. ભેગો પગના પરિમાણ સિવાય અથવા એનું સમુચિત નિયમન કર્યા સિવાય અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વ્રતનું પાલન શક્ય નથી. કારણ કે ભેગે પગલબ્ધ માણસને પોતાની નિર્મર્યાદ ભેગપભેગતૃષ્ણાને સંતોષવા માટે ઉત્કટ હિંસાને આશ્રય લે પડે છે. અસત્ય, અન્યાય, શેષણ વગેરે પાપ ભેગોપભેગની ઉદ્ભૂખલ તૃષ્ણામાંથી જન્મે છે અને એ બહેકેલી તૃષ્ણાને સંતોષવા ખાતર પરિગ્રહ વધારવા માટે ફાંફાં મારવા પડે છે. બધાં પાપ ભેગેપગની કારમી તૃષ્ણામાંથી ઊભાં થાય છે. ભેગલાલસાનું સમુચિત નિયમન એ ખરેખર મનેબળનું કામ છે અને એવા ધીર-મના મનુષ્ય ઘણાં પાપોથી બચી શકે છે, તેમ જ એનું પોતાનું જીવન શ્રેય ઘણી સરળતાથી સધાઈ શકે છે. ટૂંકમાં આ વ્રતને સારાંશ એક જ સંક્ષિપ્ત વાક્યમાં કહી શકાય કે – જેમાં બહુ જ અધર્મનો સંભવ હોય તેવા ધંધા ત્યાગવા ઉપરાત તેવા ખાનપાન, ઘરેણાં, કપડાં, વાસણુકસણ વગેરેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy