SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ડાતાનું ચિત તે તે : ૧૩૬ : જૈન દર્શન આવીઝ શકે નહિ. સત્ય બલવા ન બેલવાના સંબંધમાં ખૂબ જ વિવેક અને સતર્કતાની જરૂર છે. રેગી કે પાગલ જેવાની સાથે તેમના હિતને માટે જૂઠું બોલવું પડે તે તે નિઃસ્વાર્થ અને કેવલ તેમના હિતસાધનને માટે હેઈ અનુચિત નથી. પિતાનું ન્યાયસંગત રહસ્ય છુપાવવા જેવું હોય તે તે છુપાવવા માટે મૌન રાખ્યાથી ચાલે તેમ ન હોય અને અસત્ય બોલવું પડે છે તે અનુચિત નથી. અન્યાશ્ય યા અનુચિત પ્રતિજ્ઞા તેડવામાં અસત્ય દોષ નથી. દાખલા તરીકે, “મારે દીકરે સાજો થશે તે દેવીને એક બકરે ચડાવીશ” એવી પ્રતિજ્ઞા કેઈ માણસે કરી, પણ પાછળથી એને સમજ આવતાં કે પશુહત્યા ઘોર પાપ છે અને દેવીની આગળ તે એ અત્યન્ત નિદનીય પાપ છે, એણે પિતાની તે પ્રતિજ્ઞાને તેડી નાખવી જોઈએ. અધમી પ્રતિજ્ઞાના પાલનમાં પાપ છે, પણ તેડવામાં કલ્યાણ છે. કસો હિત સામ–પ્રાણીને હિતકારી હોય તે સત્ય. उक्तेऽनृते भवेद् यत्र प्राणिनां प्राणरक्षणम् । अनृतं तत्र सत्य स्यात् सत्यमप्यन्तं भवेत् ।। (મહાભારત, બહુપાખ્યાન) અર્થાત જ્યારે જૂઠું બોલતાં પ્રાણીનું રક્ષણ થતું હોય ત્યારે તે વખતે તે અસત્ય સત્ય છે, અને તે વખતે જે સાચું બોલવામાં આવે તો તે અસત્ય છે. (આમ સત્ય અસત્ય બને છે અને અસત્ય સત્ય બને છે.) " तुसिणीओ उवेहेज्जा जाणं वा नो जाणं ति वएज्जा" (આચારાંગ, દ્વિતીય શ્રુતસ્કન્ધ, ત્રીજા અધ્યયનને ત્રીજે ઉદ્દેશ) અર્થાત-મૌન રહે, અથવા જાણતા છતાં નથી જાણતો એમ કહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy