SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩ર : જૈન દર્શન હિંસાને જીવનને નિયમ ન બનાવતા ઓછામાં ઓછી હિંસાથી કેમ ચલાવી લેવાય એવા માગે શોધવા તરફ પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેમ બને તેમ અવિકસિત જીની અપેક્ષાએ વિકસિત જીવને બચાવ અને આવકસિત જીવોની પણ ઓછામાં ઓછી હિંસા થાય એવું જીવન ગોઠવે એમ સંતાનો ઉપદેશ છે. આ દષ્ટિએ માંસાહાર, શિકાર, સંહાર કે હિંસા નિષિદ્ધ મનાયાં. વિરોધી તરફ આવેશવશ થઈ ઊકળી ઊઠવું અને એની સાથે ધીંગામસ્તીમાં ઊતરવું એમાં (એ હિંસામાં) શું શૂરાતન છે ? શૂરાતન છે અહિંસામાં-વિધી સામે પોતાના મનને દ્ધ કે ક્રૂર ન થવા દેતાં પિતાના વિવેકશાળી સત્ત્વબળે એને શાંત વૃત્તિમાં, યોગ્ય સંયમમાં રાખવામાં. આમ શરીરબળ કે ભૌતિકબળ, જે પશુબળ ગણાય છે, તેના કરતાં ઉપર જણાવ્યું તે મને બળ કે આત્મબળ, જે અહિંસારૂપ છે, ઘણું વધારે ચડીઆનું છે. એ બળ માનવસમાજમાં જેટલું ખિલે તેટલે એને વિકાસ સધાયધાર્મિક અને આધ્યાત્મિક, તેમ જ ભોતિક પણ. વિવેકબુદ્ધિ અને સત્તશુદ્ધિના પ્રકાશરૂપ અહિંસાબળથી જ માનવજગત્ મૈત્રી અને સૌહાર્દ, બળ અને શક્તિ, તેમ જ આનંદ અને આહૂલાદથી સમૃદ્ધ બની સ્વર્ગલેકસમું બની શકે છે. મતલબ એ છે કે અહિંસા એ (આધ્યાત્મિક) બળ છે. ઉચ્ચ ક્ષાત્રવૃત્તિ વિવૃત્તિ માંગી લે છે. પિતાની સ્વેચ્છાથી સ્વાર્થ ત્યાગ કે સ્વાર્પણ દ્વારા, અથવા જરૂર પડતાં પિતાનું બલિદાન આપીને પણ હિંસાને વિરોધ કરે અને અહિંસાને જીવિત રાખવી એ ઉચ્ચ કેટીની ક્ષાત્રવૃત્તિ–વીરવૃત્તિ છે. પરંતુ ખમવાનું કે સહન કરવાનું આવે ત્યારે ડરીને છેટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy