SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ :૧૨૨ : જૈન દર્શન સહગ રાખે છે. પાપનું અનુબન્ધી” એટલે પરલોકમાં દુર્ગતિ આપનાર પાપાચરણ સાથે સંબંધ ધરાવનાર જે પાપ [ પાદિય] તે પાપાનુબન્ધી પાપ છે.* 'આ પુણ્યાનુબંધી પુણ્ય વગેરે ચાર પ્રકારના વિષયમાં આચાર્ય શ્રી હરિભદ્ર પોતાના અષ્ટક ગ્રન્થમાં ( ૨૪મા અષ્ટકમાં) જે પ્લેકામાં વાત કરી છે તે આ છે– गेहाद् गेहान्तरं कञ्चिच्छोभनादधिकं नरः ।। याति यद्वत् सुधर्मेण तद्वदेव भवाद् भवम् ॥ १ ॥ –જેમ કેઈ માણસ સારા ઘરમાંથી વધુ સારા ઘરમાં (રહેવા) જાય, તે પ્રમાણે પ્રાણી સધર્મના પ્રભાવે સારા ભવમાંથી વધારે સારા ભવમાં જાય છે. આ સધર્માચરણ તે પૂર્વજન્મપાત પુણ્યનાં સુખસમ્પત્તિરૂપ ફળ ભેગવતી વખતનું. એ પુણ્ય (પુણ્યદય) પુણ્યાનુબંધી પુણ્ય. કેમકે એ સધર્માચરણથી (પુણ્યાચરણથી) સંયુક્ત છે. गेहाद् गेहान्तर कञ्चिच्शोभनादितरन्नरः । याति यददसद्धर्मात् तद्वदेव भवाद् भवम् ।। २ ।। –જેમ કોઈ માણસ સારા ઘરમાંથી ખરાબ ઘરમાં રહેવા) જાય, તે પ્રમાણે પ્રાણુ અધર્મના મેગે સારા ભવમાંથી ખરાબ ભવમાં જાય છે. આ અધર્માચરણ તે પૂર્વજન્મ પાજિત વિચિત્ર પુણ્યનાં શ્રીમવાદિરૂ૫ ફળ ભેગવંતી વખતનું. એ પુણ્ય (પુણ્યદય ) પાપાનુબંધી પુણ્ય. કેમકે એ પાપાચરણથી સંયુક્ત છે. गेहाद् गेहान्तर कञ्चिदशुभादधिकं नरः । याति यद्वन्महापापात् तद्वदेव भवाद् भवम् ।। ३ ।। –જેમ કઈ માણસ ખરાબ ઘરમાંથી વધારે ખરાબ ઘરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy