________________
દ્વિતીય ખંડ
: ૧૨૧ : આવે છે. કેમકે આ પુણ્ય [ પદય ] વર્તમાન જિન્દગીમાં સુખ આપવા સાથે જીવનને પતિત બનાવવામાં સહયોગ રાખે છે. “પાપનું અનુબધી એટલે પરલોકમાં દુર્ગતિમાં નાખે એવાં પાપાચરણ સાથે સંબંધ ધરાવનાર જે પુણ્ય [પુણ્યદય] તે પાપાનુબંધી પુણ્ય છે, જેના વેગે માણસ સુખનાં સાધન મેળવે છે, પણ સાથે જ ભાવી પરલેક બગડે એવાં દુષ્કર્મોમાં આસક્ત રહે છે. આ નાપાક પુણ્ય છે.
પુણ્યાનુબધી પાપ
જન્માન્તરના જે પાપના ઉદયથી દરિયાદિ દુઃખ ભેગવતા છતાં પાપાચાર ન લેવાય અને પુણ્યમાર્ગરૂપ ધર્મસાધનમાં ઉદ્યત રહેવાય એવા પાપને પુણ્યાનુબન્ધી પાપ” કહેવામાં આવે છે. કેમકે આ પાપ [ પાદિય] વર્તમાન જિન્દગીમાં દુઃખ આપવા છતાં જીવનને પાપી બનાવવામાં નિમિત્તભૂત થતું નથી. “પુણ્યનું અનુબધી” એટલે પહેલેકસાધક પુણ્યસાધના સાથે પ્રતિકૂલ ન થવારૂપ સંબંધ રાખનાર જે પાપ [ પાપોદય] તે પુણ્યાનુબન્ધી પાપ છે, જે, ભાવી સારા પરલેક માટેની પુણ્યક્રિયામાં બાધક બનતું નથી.
પાપાનુબધી પાપ
જન્માન્તરસંચિત જે પાપના ઉદયથી દરિદ્રતા વગેરે દુખે ભેગવવા છતાં પાપ કરવાની બુદ્ધિ હઠે નહિ, અધર્મનાં કામ કરવામાં તત્પરતા રહે એવા પાપને “પાપાનુબન્ધી પાપ” કહેવામાં આવે છે. કેમકે આ પાપ [પાદિય] વર્તમાન જિન્દગીમાં દુઃખ આપવા સાથે જીવનને અધમ બનાવવામાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org