SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન કે અંકુશ મુકાય છે એ આ વ્રતને અનુભવ કરવાથી માલૂમ પડી શકે છે. માંસ, મદ્ય વગેરે અભક્ષ્ય અને અપેય ચીજો, જેમની બિસ્કુલ જરૂર નથી, ઉલટી જે જીવનને હાનિકારક અને આત્માની દુર્ગતિ કરનારી છે, તેમને નિષેધ આ વ્રતમાં આવી જાય એ સ્વાભાવિક જ છે. એવી જ રીતે જેમાં બહુ અધર્મને સંભવ હોય તેવી અગ્ય યા અનુપગ્ય ચીજોને પણ ત્યાગ આ વ્રતમાં સમજવાનું છે. શાંતિના માર્ગમાં આગળ વધવાના અભિલાષે આવે ત્યાગમાણે ગ્રહણ કરાય છે, એ માટે પાપમય અધમ વેપાર-ધંધા પણ આ વ્રતમાં વજી દેવાય છે. પુણ્ય પાપને વિવેક કરનાર માણસ હાનિકારક માર્ગોમાંથી પસંદગી કરવાનું આવી પડે તે એ છે હાનિકારક માર્ગ ગ્રહણ કરે. માણસની ઈચ્છાઓ ઉપર કઈ અંકુશ જ નથી, એથી જ આટલી બેકારી અને આટલી કપરી મેંઘવારી અને હાડમારી દેશમાં પથરાઈ પડી છે. એક ઠેકાણે જ્યાં ધનને ઢગ નકામો ભેગો થાય છે અને ઉદુભટ ભેગ-વિલાસમાં તથા પિતાની શ્રીમત્તાનાં પ્રદર્શનમાં શ્રીમતે નકામે ગંજાવર ખર્ચ કરે છે, ત્યાં બીજે (આમ જનતાના વિશાળ પ્રદેશમાં) દરિદ્રતાની ભયાનક ખાઈ ખોદાઈ જાય છે. આ ઘેર વિષમતામાં જનતાના પ્રાણુ શેષાઈ દેશ-આઝાદ દેશ પણ બરબાદ થાય છે. ભેગે પગમાં વાજબી સમતા અને સંતતા માણસે રાખે તે જીવનનિર્વાહના માર્ગની બધી વિષમતા ટળી જાય અને એક પ્રકારની વિરાટુ સમાનતા પેદા થઈ બધાનાં જીવન સુખી થાય. જનતા સુખી થાય અને માનવતાના પંથે વળે એ જ મુદ્દો આ વ્રતની પાછળ છે, જેને ઝેક આધ્યાત્મિક કલ્યાણ તરફ તે ખુલ્લી રીતે છે જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy