________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક ]
પાઠ ૩ જો* આત્માના કેવા ભાવને શ્રી ભગવાન સામાયિક કહે છે તે હવે કહેવાય છે :
જે સમતામાં લીન થઈ, કરે અધિક અભ્યાસ; અખિલ કર્મ તે ક્ષય કરી, પામે શિવપુર વાસ. ૯૨. સર્વ જીવ છે જ્ઞાનમય, જાણે સમતા ધાર; તે સામાયિક જિન કહે, પ્રગટ કરે ભવપાર. ૯૮. રાગ-દ્વેષ બે ત્યાગીને, ધારે સમતા ભાવ; સામાયિક ચારિત્ર તે, કહે જિનવર મુનિરાવ. ૯૯. विरदो सव्वसावज्जे तिगुत्तो पिहिदिदिओ । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१२५॥
(હરિગીત) સાવધવિરત, ત્રિગુપ્ત છે, ઇન્દ્રિયસમૂહ નિરુદ્ધ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૫.'
અર્થ :–જે સર્વ સાવઘક્રિયાથી વિરક્ત થઈ, ત્રણ ગુપ્તિઓને ધારીને પોતાની ઇન્દ્રિયોને ગોપવે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે.
जो समो सव्वभूदेसु थावरेसु तसेसु वा । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१२६॥ સ્થાવર અને ત્રસ સર્વ ભૂતસમૂહમાં સમભાવ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૬.
* યોગીન્દ્રદેવકૃત યોગસારમાંથી.
૧. આ નં. ૧૨૫ થી ૧૩૩ સુધીની ગાથાઓ શ્રી નિયમસારની છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250