SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] પાઠ ૩ જો* આત્માના કેવા ભાવને શ્રી ભગવાન સામાયિક કહે છે તે હવે કહેવાય છે : જે સમતામાં લીન થઈ, કરે અધિક અભ્યાસ; અખિલ કર્મ તે ક્ષય કરી, પામે શિવપુર વાસ. ૯૨. સર્વ જીવ છે જ્ઞાનમય, જાણે સમતા ધાર; તે સામાયિક જિન કહે, પ્રગટ કરે ભવપાર. ૯૮. રાગ-દ્વેષ બે ત્યાગીને, ધારે સમતા ભાવ; સામાયિક ચારિત્ર તે, કહે જિનવર મુનિરાવ. ૯૯. विरदो सव्वसावज्जे तिगुत्तो पिहिदिदिओ । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१२५॥ (હરિગીત) સાવધવિરત, ત્રિગુપ્ત છે, ઇન્દ્રિયસમૂહ નિરુદ્ધ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૫.' અર્થ :–જે સર્વ સાવઘક્રિયાથી વિરક્ત થઈ, ત્રણ ગુપ્તિઓને ધારીને પોતાની ઇન્દ્રિયોને ગોપવે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. जो समो सव्वभूदेसु थावरेसु तसेसु वा । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ॥१२६॥ સ્થાવર અને ત્રસ સર્વ ભૂતસમૂહમાં સમભાવ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૬. * યોગીન્દ્રદેવકૃત યોગસારમાંથી. ૧. આ નં. ૧૨૫ થી ૧૩૩ સુધીની ગાથાઓ શ્રી નિયમસારની છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250
SR No.007782
Book TitleSarva Samanya Pratikraman Avashyak
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size889 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy