SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસારની ગરિમા निर्विकारं निराबाधं, ज्ञानसारमुपेयुषाम् । विनिवृत्तपराशानां मोक्षोऽत्रैव महात्मनाम् ॥६॥ ગાથાર્થ :- વિકારો વિનાનો અને બાધા-પીડા વિનાનો એવો જ્ઞાનનો જે સાર છે તેને પામેલા અને અટકી ગઈ છે પરની આશા જેને એવા મહાત્મા પુરુષોને આ ભવમાં અહીં જ મોક્ષ છે. ॥૬॥ ૮૬૦ " જ્ઞાનસાર ટીકા :- “નિર્વિનામિતિ'' મહાત્મનાં-સમ્યાાત્મભાવપરિળતાનામ્ ત્રૈવअस्मिन्नेव भवे मोक्षः । यद्यपि सकर्मकत्वे मोक्षाभाव एव, तथापि अत्रानन्दसमताशीलानां स्वभावसुखलीनानां वर्णिकारूपेण मोक्षस्यारोपः कथितः । कथम्भूतानां महात्मनाम् ? निर्विकारं विकाररहितं, निराबाधं - सर्वबाधा पुद्गलसंयोगरूपा, तया रहितम्, ज्ञानं तत्त्वबोधः, तस्य सारं तत्त्वैकत्वरूपं चारित्रमुपेयुषां प्राप्नुवताम्, पुनः कथम्भूतानां महात्मनाम् ? विनिवृत्ता परस्य आशा येषां ते, तेषां विनिवृत्तपराशानांसर्वथा पुद्गलाशारहितानां निर्वाञ्छकानामिहैव मोक्ष इति ॥६॥ વિવેચન :- જે મહાત્મા પુરુષોના હૃદયમાં સભ્યપ્રકારે આત્મતત્ત્વ પરિણામ પામ્યું છે. આત્માની નિર્મળ-શુદ્ધ અવસ્થા મેળવવાની જ લગની લાગી છે અને કર્મોદયજન્ય સુખાદિ ભાવોમાંથી જેનું ચિત્ત ઉઠી ગયું છે. પૌદ્ગલિક સુખોની આશાઓ જેઓએ ત્યજી દીધી છે આવા મહાત્મા પુરુષોને તો આ જ ભવમાં મોક્ષ થાય છે. અથવા અહીં જ મોક્ષ છે. જો કે આ કાળ અવસર્પિણીનો છે પાંચમો આરો છે. ભરતક્ષેત્ર છે એટલે આવા વૈરાગી મહાત્માઓ હોય તો પણ તેઓ આઠ કર્મોના ઉદયવાળા છે, ગુણસ્થાનક ૬-૭ છે, ક્ષપકશ્રેણી-પ્રથમસંઘયણ અને કેવલજ્ઞાનાદિ ભાવો આ કાળે અને આ ક્ષેત્રે હાલ નથી. તેથી મોક્ષપ્રાપ્તિનો પણ જો કે અભાવ છે, તો પણ આવી ઊંચી ભૂમિકાની દશા ઉપર પહોંચેલા મહાત્માઓ આત્મગુણોના આનંદમાં અને સમતામાં ઝુલનારા થાય છે તથા સ્વભાવસુખમાં જ લયલીન બને છે. તેથી ભલે સાક્ષાત્ મોક્ષ નથી તો પણ મોક્ષના સુખની વાનગી રૂપે અહીં મોક્ષનો આરોપ કરેલો છે. જાણે કંઈક અંશે મોક્ષના સુખનો આસ્વાદ માણતા હોય તેવું સુખ હાલ અહીં પણ તેઓને હોય છે. તેથી સમુદ્રના કે નદીના કિનારા પાસે જતાં દૂરથી જ ઠંડક અને પવન આવવાથી સમુદ્ર આવ્યો, નદી આવી, આમ જેમ આરોપ કરીને બોલાય છે, તેમ અહીં મોક્ષના સુખનો આંશિક વાનગી રૂપે અનુભવ થતો હોવાથી આવા પ્રકારના મહાત્માઓને અહીં જ મોક્ષ છે એમ કહેલ છે.
SR No.007779
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy