________________
જ્ઞાનમંજરી જ્ઞાનસારની ગરિમા
૮૬૧ આ મહાત્માઓ કેવા છે ? તે વાત બે વિશેષણોથી સમજાવે છે. નિર્વિકાર અને નિરાબાધ એવા જ્ઞાનસારને પામેલા મહાત્માઓ છે આ એક વિશેષણ થયું તથા વિનિવૃત્તપરાશા વાળા મહાત્માઓ છે આ બીજું વિશેષણ છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે - વિકાર રહિત એવો જ્ઞાનનો સાર પામેલા, જે જ્ઞાનસાર ભણવાથી મોહના તમામ વિકારો જેના જીવનમાંથી ચાલ્યા જાય છે. તથા સંસારમાં સર્વે પણ બાધાઓ (પીડાઓ) પુદ્ગલદ્રવ્યના સંયોગથી જ આવે છે, સંયોગ થાય તેનો વિયોગ થાય જ, તેની વિયોગકાલે પીડા આવે જ, આવા પ્રકારની પીડા વિનાનો જે જ્ઞાનનો સાર છે તેને પામેલા આ મહાત્માઓ છે. વિકારોનો અને મોહજન્ય પીડાઓનો નાશ કરે અને આત્માને વાસ્તવિક શાન્તિ આપે એવો સુંદર જે જ્ઞાનનો સાર છે તેને પામેલા આ મહાત્માઓ છે. તેથી આ ભવમાં જ અને અહીં જ મોક્ષ છે.
તથા પરદ્રવ્યની આશા જેમના જીવનમાંથી ચાલી ગઈ છે તેવા મહાત્માઓ છે, સર્વથા પુદ્ગલદ્રવ્યની આશા વિનાના, નિઃસ્પૃહ, વાચ્છા વિનાના મહાત્માઓ છે, માટે આ જ ભવમાં મોક્ષ છે, જ્ઞાનસારના અભ્યાસથી, ચિંતન-મનનથી એટલી બધી ઊંચી દશામાં વર્તે છે કે જાણે મોક્ષના સુખનો જ આસ્વાદ અહીં જ માણતા હોય તેવા છે. Nell
चित्तमार्दीकृतं ज्ञानसार-सारस्वतोर्मिभिः । नाप्नोति तीव्रमोहाग्नि-श्लेषशोककदर्थनाम् ॥७॥
ગાથાર્થ - જ્ઞાનસારની વાણીની ઊર્મિઓ વડે જેનું ચિત્ત ભીનું ભીનું કરાયું છે તે મહાત્માઓનું ચિત્ત તીવ્ર મોહ રૂપી અગ્નિના દાહજન્ય શોકની પીડાને ક્યારેય પામતું નથી. Iણા
ટીકા :- “વિિિર" જ્ઞાનસાઉથ ગ્રન્થઃ તસ્ય સરસ્વતી-વાપી, તસ્થા મે ऊर्मयः-कल्लोलास्तैः येषां चित्तमार्दीकृतम्, तेषां जीवानां तीव्रो मोहाग्नेः आश्लेषः तेन यः शोकः, तस्य कदर्थना-पीडा, तां नाप्नोति । इत्यनेन ज्ञानसारासारवर्षणार्टीकृतचित्तानां मोहाग्नितापो न भवति ॥७॥
વિવેચન :- જ્ઞાનસાર છે નામ જેનું એવો જે આ ૩૨ અષ્ટકોનો બનાવેલો મહાગ્રંથ છે તેમાં આલેખાયેલી વાણીની ઉર્મિઓ (કલ્લોલો) દ્વારા જે મહાત્માઓનું ચિત્ત ભીનું ભીનું થયું છે. જેઓના હૃદયમાં જ્ઞાનસારાષ્ટકના વૈરાગ્યવર્ધક શ્લોકો હાલતાં-ચાલતાં-ઉઠતા-બેસતાં એમ કોઈપણ કામકાજ કરતાં જીભ ઉપર રમે છે. વારંવાર આ શ્લોકોનું જ જેઓને રટન ચાલે છે. તેના કારણે જેઓનું ચિત્ત સંવેગ-નિર્વેદ અને વૈરાગ્યાદિ ગુણોથી ભીનું ભીનું બન્યું