SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૮ તપોષ્ટક - ૩૧ જ્ઞાનસાર સર્વે પણ અનુષ્ઠાનોને હિતકારી જ છે-કલ્યાણકારી જ છે એમ જાણે છે. જ્યાં કલ્યાણ અને હિત જ દૃષ્ટિગોચર થતું હોય ત્યાં કષ્ટકારી આચરણ પણ સુખદાયી જ દેખાય છે અને તે તે આચરણ કરવામાં આ જીવ ઉત્સાહિત અને આનંદિત હોય છે. દુઃખમાં સુખ માનનારા આ તપસ્વી મહાત્માઓ કેવા હોય છે ? તે જણાવે છે કે “મુક્તિપદ મેળવવાની જે લગની લાગી છે. હૃદયમાં સાધ્ય સાધવાની તીવ્ર જે ભાવના પ્રગટી છે” તેથી તેના સુંદર ઉપાયભૂત-પ્રબળ કારણ સ્વરૂપ જે સંવર અને નિર્જરામય ધર્માનુષ્ઠાન છે તે ધર્માનુષ્ઠાનોમાં પ્રવર્તેલા અર્થાત્ તે ધર્માનુષ્ઠાનો આચરવામાં ઘણા જ ઉદ્યમશીલ બનેલા મહાત્માઓને કોઈપણ કષ્ટકારી અનુષ્ઠાનોમાં દુઃખ લાગતું નથી. આમ આ ઉપરોક્ત કથનથી સમજાશે કે પોતાના આત્માના ધર્મની સાધના કરવામાં સાધુ-સંતોને આનંદ આનંદ જ હોય છે ક્યારેય ક્યાંય દુઃખ હોતું નથી. જો આત્માને ઉપાયમાં દુઃખબુદ્ધિ હોય છે તો તે આત્મા સાચો સાધક નથી. આરાધક નથી. તેને સાધ્યની મીઠાશ લાગી નથી આમ જાણવું. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીએ ષોડશક પ્રકરણમાં આમ કહ્યું છે કે – ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, બ્રાન્તિ, અન્યમુદ્, રોગ અને આસંગ આ ચિત્તના આઠ દોષો છે તે દોષોથી ભરેલા ચિત્તમાંથી બુદ્ધિશાળી મહાત્માએ અત્યન્ત પ્રયત્નપૂર્વક (અતિશય બળ વાપરવાપૂર્વક) તે દોષોનો ત્યાગ કરવો જોઈએ. ૧૪-૩ ઉપરની ચર્ચાથી સમજાશે કે જ્યારે સાધ્યની મીઠાશ હૃદયમાં વર્તતી હોય છે ત્યારે સાધનની પ્રવૃત્તિ દુઃખદાયી હોય તો પણ તે જીવને તે પ્રવૃત્તિ સુખદાયી જ લાગે છે. જો इत्थं च दुःखरूपत्वात्, तपो व्यर्थमितीच्छताम् । बौद्धानां निहता बुद्धिबौद्धानन्दपरिक्षयात् ॥५॥ ગાથાર્થ :- આ રીતે તપ કરવો તે દુઃખરૂપ હોવાથી વ્યર્થ છે આમ માનનારા બૌદ્ધદર્શનના અનુયાયીઓની બુદ્ધિ જ્ઞાનસંબંધી આનંદનો નાશ થયેલ હોવાથી હણાયેલી છે આમ સમજવું. પી. ટીકા - “ર્ઘ ર ટુતિ ” રૂલ્ય યત્તપ: કૃમિતિ માસનપૂર્વમ, તત્તપ: व्यर्थ-निष्फलम् । कस्मात् ? दुःखरूपत्वात् । तपःकरणे एव दुःखोद्वेगौ, यत्र ૧. પૂજ્ય ઉપાધ્યાયજી મ. વૌદ્ધ નાગરિક્ષયાત્ આવો પાઠ લખે છે અને ટીકાકારશ્રી દેવચંદ્રજી મહારાજશ્રી વીનન્તરિક્ષયાત્ પાઠ લખે છે તત્ત્વકેવલિગમ્ય જાણવું.
SR No.007779
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy