________________
જ્ઞાનમંજરી
ભાવપૂજાષ્ટક - ૨૯
૭૭૩
તથા દ્રવ્યપૂજામાં પરમાત્માની સામે જેમ નૃત્ય કરવામાં આવે છે ગીતો ગાવામાં આવે છે અને વાજીંત્રો વગાડવામાં આવે છે આવી રીતે ગીત, નૃત્ય અને વાજીંત્ર આ ત્રણેના તાલની એકતા સાધવાપૂર્વક ભક્તિ કરવામાં આવે છે. તેમ ભાવપૂજામાં મન, વચન અને કાયા એમ ત્રણે યોગોનું આત્મસાધનામાં પ્રવર્તાવવું તે નૃત્ય, આવા પ્રકારનું નૃત્ય કરવામાં તું તત્પર થા - ઉદ્યમવાળો થા. તારા મન-વચન અને કાયાના યોગોને આત્મતત્ત્વની સાધનામાં જોડ.
તથા યોગોને સાધનામાં જોડવા રૂપ નૃત્યની સાથે સાથે ઉત્કૃષ્ટ અધ્યાત્મદશામય ધારણા-ધ્યાન અને સમાધિ રૂપ મુક્તિમાર્ગની સાધનાસ્વરૂપ યોગદશામાં (આઠ અંગો પૈકીનાં) છેલ્લાં ત્રણ અંગોનું આત્મામાં પરિણમન થવા રૂપ સૂર્યાદિવાળી (સૂર્ય એટલે વાજીંત્ર અને આદિ શબ્દથી ગીત-નૃત્ય વગેરે સંગીતની સર્વસામગ્રી સાથે) ત્રણ પ્રકારની પૂજાવાળો તું થા. જેમ દ્રવ્યપૂજામાં ગીત-નૃત્ય અને વાજીંત્ર એમ ત્રણ પ્રકારની ભક્તિરૂપ દ્રવ્યપૂજા હોય છે. તેમ ભાવપૂજામાં મન-વચન અને કાયાના યોગોનું આત્મસાધનામાં પ્રવર્તન કરવા રૂપે ધારણા, ધ્યાન અને સમાધિવાળા થવું એમ ત્રણ પ્રકારની પૂજા કરવાવાળો તું થા.
આ પ્રમાણે દ્રવ્યપૂજાથી જેમ બાહ્ય આનંદ ઉપજે છે તેમ અભ્યન્તરપૂજા વડે (એટલે કે ભાવપૂજા વડે) આત્મતત્ત્વની પ્રાપ્તિ રૂપ આનંદમય અને પોતાના જ ચૈતન્યગુણવાળા પોતાના આત્માને હે ઉત્તમ જીવ ! તું પરમાત્મારૂપ બનાવ. તું જ અંતરાત્મા મટીને પરમાત્મા
બન. ॥૬॥
उल्लसन्मनसः सत्य - घण्टां वादयतस्तव ।
भावपूजारतस्येत्थं करक्रोडे महोदयः ॥ ७ ॥
?
ગાથાર્થ :- આ રીતે સત્યતત્ત્વરૂપી ઘંટાને વગાડતા અને ઉલ્લસિત મનવાળા તથા ભાવપૂજામાં ઓતપ્રોત એવા તને હે ઉત્તમ જીવ ! મહોદય (મોક્ષપ્રાપ્તિ) હથેળીમાં જ છે.
11911
ટીકા :- ‘ઉજ્જસન્મનસ કૃતિ' ત્યું માવપૂનારતસ્ય તવ મહોત્ય:-મોક્ષ: करक्रोडे-हस्ततलेऽस्ति । किं कुर्वतः ? उल्लसन्मनसः- भावोल्लासयुक्तचित्तस्य सत्पर्यायरूपां घण्टां नादयतः - शब्दं कुर्वतः । इत्यनेन सहर्षसत्यमनउल्लासरूपां घण्टां वादयतः सतः पूर्वोक्तपूजाकरणेन सर्वस्वशक्तिप्रादुर्भावरूपो मोक्षो भवति ॥७॥
વિવેચન :- દ્રવ્ય-પૂજાવિધિમાં લુણ ઉતારણ, આરિત અને મંગલદીપ પછી