________________
॥ अथ एकोनत्रिंशत्तमं भावपूजाष्टकम् ॥
अथ द्रव्यपूजोपस्काररूपं भावपूजास्वरूपभावनोपचाररूपं भावपूजाष्टकं वितन्यते ।
तत्र गृहस्थः अनेकसंसारभारत्रस्तः कदाचिद् निर्विकारानन्दरूपां जिनमुद्रां विलोक्य प्राप्तवैराग्यः भवोद्विग्नः सर्वासंयमत्यागाभिलाषी परमसंवररूपं परमेश्वरं सद्भक्त्या पूजयति । स्वयोगस्वपरिग्रहादिकं सर्वथा त्यक्तुमसमर्थः सर्वमपि तीर्थङ्करभक्तियुक्तं करोति । ततश्च आत्मा स्वगुणपरिणतः स्वरूपसाधनारूपां भावपूजां #રતિ |
तत्स्वरूपं नामतः पूजा इति कथनम् । स्थापनातस्तल्लिङ्गाचरणम् । द्रव्यतः चन्दनादिभिः शून्योपयोगेन च । भावतो गुणैकत्वरूपा सा व्याख्यायते -
| વિવેચન :- હવે ભાવપૂજા અષ્ટક કહેવાય છે. પૌદ્ગલિક પદાર્થો દ્વારા પરમાત્માની જે પૂજા કરાય છે તે દ્રવ્યપૂજા જાણવી. જેમકે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ દ્વારા કરાતી અષ્ટપ્રકારી પૂજા આદિ તે દ્રવ્યપૂજા જાણવી અને જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતી કર્મોનો ક્ષયોપશમવિશેષ કરીને પ્રાપ્ત કરેલા પોતાના આત્માના ગુણોમાં પરિણામ પ્રાપ્ત કરીને આત્માના શુદ્ધસ્વરૂપની સાધના કરવા રૂપ જે જિનભક્તિ આદિ કાર્ય કરવાં તે ભાવપૂજા જાણવી. સ્વગુણોની પરિણતિવાળો આ આત્મા વિશિષ્ટ ગુણોને પ્રાપ્ત કરવા માટે પરમાત્માનું જે આલંબન લે છે તે ભાવપૂજા જાણવી.
દ્રવ્યપૂજા જગતમાં પ્રસિદ્ધ છે. દ્રવ્યપૂજાની બાહ્ય સામગ્રી પણ જાણીતી છે. તેથી દ્રવ્યપૂજામાં સ્નાન, શ્વેત વસ્ત્ર, કેસર આદિ જે જે સામગ્રી છે તેનો ભાવપૂજાના સ્વરૂપાત્મક જે જે આત્મગુણો છે તેમાં ભાવના ભાવવા રૂપે તુલનાપણે ઉપચાર કરવો તે ભાવપૂજા કહેવાય છે. તેનું અષ્ટક હવે કહેવાય છે. જેમકે પાણી વડે સ્નાન કરાય છે તેમ દયાગુણ પ્રાપ્ત કરવા વડે કર્યું છે સ્નાન જેણે અર્થાત્ તે દયા એ જ પાણી છે એમ ઉપચાર કરીને દયા ગુણ દ્વારા કર્યું છે સ્નાન જેણે એવો આ જીવ પોતાના શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે તે આત્મતત્વ તરફ અભિમુખ થાય તે ભાવપૂજા જાણવી.
સાધુ મહાત્મા તો સંસારના ભારથી સદાકાલ મુક્ત જ થયા છે તેથી તથા સાવદ્યના ત્યાગી હોવાથી સતત ભાવપૂજામાં જ (આત્મગુણોની રમણતામાં જ) રમનારા છે. તેથી