SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮ ૭૫૯ અજ્ઞાનદશા તથા જ્ઞાનાવરણીયાદિ કર્મો કે જે કર્મો અનાદિકાલથી આ આત્મામાં ચોંટેલાં છે તે બન્નેને ઉખેડીને તેનું નિવારણ કરે છે. તેને દૂર કરે છે. તે કર્મોને બાળી નાખે છે. કર્મોને બાળવાનું પ્રબળ સાધન આત્મરમણતા જ છે. તેથી આત્મરમણતાનું આલંબન લઈને આત્માથી ભિન્ન દ્રવ્ય, કર્મ નામનો જે પદાર્થ આત્મામાં ભળી ગયો છે તેને બાળી નાખે છે. આવો બ્રાહ્મણ અહીં સમજવો. તે પાપોથી લેપાતો નથી. IIII ટીકા :‘‘બ્રહ્માધ્યયનેતિ” બ્રાહ્મળો-મુનિ:-શ્રમો દ્રવ્ય-ભાવબ્રહ્મચર્યે રત: બ્રાહ્મા:, અધૈ:-પાü: ન નિપ્યતે-ન તેપવાનું મતિ । થભૂત: બ્રાહ્મળ: ? ब्रह्माध्ययनम्-आचाराङ्गप्रथमश्रुतस्कन्धनवमाध्ययनोक्तनिष्ठा - मर्यादा, तद्वान् तत्परिणतिपरिणतः । पुनः परब्रह्म - शुद्धात्मस्वरूपं, तेन समाहितः - समाधिमयः । पुनः नियाग:-कर्मक्षपणम्, तस्य प्रतिपत्तिः, तद्रूपतापरिणतः भिक्षुः पापैर्न लिप्यते, नावगुण्ठनावान् भवति । अत एव स्वस्वरूपभासनरमणपरिणतः अनादिकर्मपटलक्षयं कृत्वा सिद्धबुद्धः परमानन्दमयो भवति । अतो भावनियागः कर्मदहनरूपः करणीय इति तत्त्वम् ॥८॥ ॥ इति व्याख्यातं नियागाष्टकम् ॥ ન વિવેચન :- અહીં બ્રાહ્મણ શબ્દથી બ્રહ્મમાં વસનારા અર્થાત્ આત્મદશામાં જ રમનારા એવો અર્થ કરવો પણ બ્રાહ્મણકુલમાં જન્મ પામનાર કે જન્મથી બ્રાહ્મણ એ અર્થ ન લેવો. તેથી બ્રાહ્મણ એટલે મુનિ-મહારાજા અથવા શ્રમણમુનિ કે જે દ્રવ્યથી પણ બ્રહ્મચર્ય પાળવામાં તત્પર છે તથા ભાવથી પણ આત્મદશામાં વર્તે છે એવા દ્રવ્યથી અને ભાવથી બ્રહ્મચર્ય પાલનમાં લીન જે મુનિ છે. તે અહીં બ્રાહ્મણશબ્દથી જાણવા. આવા મુનિ પાપોથી લેપાતા નથી. પાપકર્મોની સાથે બંધાતા નથી. તે મુનિરૂપ બ્રાહ્મણ કેવા છે ? આ વાત બાકીનાં ત્રણ વિશેષણોથી સમજાવે છે. (૬) બ્રહ્મ નામનું આચારાંગ સૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધમાં કહેલું જે નવમું અધ્યયન, તેમાં કહેલી જે નિષ્ઠા એટલે આત્મતત્ત્વની-મુનિપણાની મર્યાદા, તે મર્યાદામાં વર્તનારા, તે મર્યાદા પ્રમાણેની પરિણતિથી પરિણામ પામેલા એવા જે મુનિ છે તે પાપોથી લેપાતા નથી. આચારાંગ સૂત્રમાં વર્ણવેલા આચાર પ્રમાણે ચાલનારા, આત્માને આત્મસ્વભાવમાં જ રાખનારા એવા મુનિ રૂપ બ્રાહ્મણ. (૭) તથા પરમ એવું શુદ્ધ આત્મતત્ત્વ-આત્માનું નિર્મળ શુદ્ધ સહજાનંદસ્વરૂપ છે.
SR No.007779
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy