________________
જ્ઞાનમંજરી યોગાષ્ટક- ૨૭
૭૩૯ આ પ્રમાણે અનુક્રમે યોગદશાની સાધનામાં લીન બનેલો આત્મા મન-વચન-કાયાના સર્વ યોગોનો વિરોધ કરીને અયોગી નામના ચૌદમા ગુણસ્થાનકવર્તી થાય છે ત્યાંથી અલ્પકાળમાં જ મોક્ષે જાય છે. IIણા.
स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि । सूत्रदाने महादोषः, इत्याचार्याः प्रचक्षते ॥८॥
ગાથાર્થ :- સ્થાનયોગ-વર્ણયોગ વગેરે યોગદશા વિનાના જીવને “તીર્થ ઉચ્છેદ થઈ જશે” ઈત્યાદિ ભયના આલંબનથી પણ જે સૂત્રદાન કરે છે તેને મહાદોષ લાગે છે. એમ પૂર્વાચાર્ય પુરુષો કહે છે. ll૮
:- “સ્થાનાતિ” થાનવપ્રવૃત્તિયોહિતી સૂત્રોનું મહાવોપ તિ आचार्याः हरिभद्रादयः प्रचक्षते-कथयन्ति । कस्मात् ? तीर्थोच्छेदाद्यालम्बनात् । निरास्तिकस्य सूत्रदाने कदाचित् कुप्ररूपणाकरणेन तीर्थोच्छेदो भवति । उक्तञ्च विंशतिकायाम् -
વિવેચન :- સ્થાનયોગ, વર્ણયોગ ઈત્યાદિમાં પ્રવૃત્તિ કરવા રૂપે યોગદશા જે આત્મામાં પ્રગટી નથી તેવા પ્રકારના સ્થાનાદિ યોગ વિનાના આત્માને ચૈત્યવંદન આદિનાં સૂત્રો આપવામાં (સૂત્રપાઠ ભણાવવામાં) પણ આપનારાને મહાદોષ લાગે એમ પૂર્વે થઈ ગયેલા પૂ. શ્રી હરિભદ્રસૂરિજી વગેરે આચાર્ય મહાપુરુષો કહે છે. સારાંશ કે જેમ અપાત્રને અથવા કુપાત્રને ઘરનો કે પેઢીનો વહીવટ ન સોંપાય, તેમ ઉપર કહેલા સ્થાનાદિ યોગો જેમાં આવ્યા નથી તેવા પુરુષને ચૈત્યવંદનાદિના સૂત્રપાઠો અપાય નહીં. જો કોઈ સૂત્રપાઠ આપે તો તે આપનારાને મહાદોષ લાગે એમ પૂર્વાચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી આદિ મહાપુરુષો કહે છે.
પ્રશ્ન:- જો તમે સ્થાનાદિ યોગ વિનાનાને સૂત્રપાઠ નહીં આપો તો પાંચમા આરાના છેડા સુધી રહેનારું મહાવીર પરમાત્માનું તીર્થ (શાસન) વહેલું વહેલું વિચ્છેદ પામશે. કારણ કે શાસ્ત્રોમાં કહેલા સ્થાનાદિ યોગવાળી દશા તો કોઈક મહાત્મા પુરુષમાં જ આવે, ઘણા પુરુષોમાં તો આવી ઉત્કૃષ્ટદશા ન આવે અને ઉત્કૃષ્ટદશાવાળા પુરુષો તો બે-પાંચ એમ અલ્પ જ હોવાના, તેઓનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે આવી ઊંચી યોગદશાવાળા પુરુષો કોઈ હોય નહીં અને યોગદશા વિનાનાને સૂત્રપાઠ અપાય નહીં તેનો અર્થ એ થશે કે સારા જીવો ન હોવાથી અને અયોગ્ય જીવોને સૂત્રપાઠ ન ભણાવવાથી પરમાત્માનું શાસન ત્યાં જ વિચ્છેદ પામશે, આ બરાબર થતું નથી, માટે સ્થાનાદિ યોગ ન આવ્યો હોય તેવા યોગદશા વિનાના