SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી યોગાષ્ટક - ૨૭ ૭૩૫ પરમ એવા આત્મતત્ત્વમાં હજુ નહીં પહોંચેલો પણ તે પરમ આત્મતત્ત્વ જોવાની તમન્નાવાળો અથતું દિક્ષાવાળો અને તે તરફની પ્રવૃત્તિવાળો એવો જે યોગ, સર્વોત્તમ યોગની (શેલેશી અવસ્થાની) પૂર્વકાલમાં પ્રવર્તનારો યોગનિરોધાત્મક જે યોગ તેને અનાલંબન યોગ કહેલો છે. ll૧૫-૯ી. આવા પ્રકારના અનાલંબનયોગથી ધારાવાહી એવી પ્રશાન્તવાહિતા (સતત નિરંતર અત્યન્ત શાન્ત પ્રકૃતિ) વાળું જે ચિત્ત થાય છે. તેની સ્વાભાવિકપણે જ (વિશિષ્ટ પ્રયત્ન કર્યા વિના જ) મનની સહજધારામાં પ્રવૃત્તિ થાય છે. અર્થાત્ આવા પ્રકારના અનાલંબન યોગના પ્રતાપે જ ચિત્ત વિશિષ્ટ પ્રયત્ન વિના સ્વાભાવિકપણે જ ધારાવાહી એવી પ્રશાન્તવાહિતામાં પ્રવર્તે છે. તેના માટે વિશિષ્ટ પ્રયત્ન કરવો પડતો નથી. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીએ શ્રી યોગવિંશિકામાં કહ્યું છે કે – आलंबणं पि एयं, रूवमरूवी य इत्थ परमुत्ति । तग्गुणपरिणइरूवो, सुहुमो अणालंबणो नाम (१९) एकाग्रयोगस्यैवापरनाम अनालम्बनयोग इति । एवं स्थानाद्याः पञ्च इच्छादेर्गुणिता विंशतिः भवन्ति । ते च प्रत्येकमनुष्ठानचतुष्कयोजिता अशीतिः प्रकाराः भवन्ति । तत्स्वरूपनिरूपणायोपदिशति “આલંબનયોગ પણ બે પ્રકારનો છે એક રૂપીના આલંબનવાળો અને બીજો અરૂપીના આલંબનવાળો. ત્યાં સમવસરણમાં બીરાજમાન એવા જિનેશ્વર પરમાત્માના છત્ર-ચામરાદિથી વિભૂષિત પ્રતિમાદિના આલંબનરૂપ જે યોગ તે રૂપી આલંબન યોગ કહેવાય છે અને અરિહંત પરમાત્મા આદિના કેવલજ્ઞાનાદિ ગુણની સાથે તન્મયતા (એકાગ્રતા) રૂપ પરિણતિવાળો જે સૂક્ષ્મ યોગ (ઈન્દ્રિયોથી અગોચર યોગ) તે અનાલંબન યોગ જાણવો તે જ યોગ અહીં પરમયોગ છે.” ૧૯ પરમાત્માના ગુણોની સાથે જે એકાગ્રતા તેને અનાલંબન યોગ કહેવાય છે. તેથી અનાલંબન યોગ એકાગ્રતાયોગનું જ આવા પ્રકારનું બીજું નામ છે. અહીં જો કે ગુણોનું આલંબન છે પણ તે આલંબન અલ્પ આલંબન હોવાથી અને સૂક્ષ્મ આલંબન હોવાથી અનાલંબન કહેવાય છે. આ પ્રમાણે સ્થાન ૧, વર્ણ ૨, અર્થ ૩, આલંબન ૪ અને એકાગ્રતા પ. એમ પાંચ પ્રકારના યોગો છે. તેના ઈચ્છા ૧, પ્રવૃત્તિ ૨, સ્થિરતા ૩ અને સિદ્ધિ ૪ એમ ચાર-ચાર પ્રકાર હોવાથી ઈચ્છાદિ ચારની સાથે ગુણતાં ૫ x ૪ = ૨૦ ભેદો યોગના થાય છે. તે સર્વે ભેદો ચાર પ્રકારના અનુષ્ઠાનોની સાથે જોડાયા છતા (પ્રીતિ-ભક્તિ-વચન અને
SR No.007779
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy