________________
૭૩૬
યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર
અસંગ એમ ચાર પ્રકારનાં અનુષ્ઠાનોની સાથે જોડાયા છતા) ૨૦ × ૪ = ૮૦ એંશી ભેદો યોગના થાય છે. પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ અનુષ્ઠાન કોને કહેવાય ? તેનું સ્વરૂપ નિરૂપણ કરવા માટે હવે સમજાવે છે
-
॥૬॥
प्रीतिभक्तिवचोऽसङ्गैः, स्थानाद्यपि चतुर्विधम् । तस्मादयोगियोगाप्तेर्मोक्षयोगः क्रमाद् भवेत् ॥७॥
ગાથાર્થ :- સ્થાનાદિ ૨૦ પ્રકારનો પણ યોગ, પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ વડે ચાર-ચાર પ્રકારનો થતાં ૮૦ ભેદવાળો થાય છે. તે યોગદશા આવવાથી “અયોગિગુણઠાણાનાચૌદમા ગુણઠાણાના યોગની પ્રાપ્તિ થાય છે અને તેનાથી અનુક્રમે મુક્તિનો યોગ સિદ્ધ થાય 9. 11911
ટીકા :- ‘પ્રીતિમતીતિ' તે સ્થાનાય:, પ્રીતિ: ભક્તિ: વચનમસકૢ કૃતિ भेदचतुष्टयैरशीतिः भेदा भवन्ति, तस्माद् योगात् क्रमेण अयोगिनामा योग:, तस्याप्तिः-प्राप्तिः भवति । अयोगियोगः - शैलेशीकरणम् । सकलयोगचापल्यरहितो योगः प्राप्नोतीति । तेन पुनः क्रमाद् मोक्षः-सकलकर्माभावलक्षणः । आत्मनः तादात्म्यावस्थानं मोक्षः । एवं योगसंयोगः क्रमाद् - अनुक्रमेण भवति ।
अथ प्रीत्याद्यनुष्ठानस्वरूपं षोडशकतो लिख्यते । अस्य चानुष्ठानता सांसारिकपरिणतौ, सा च परावृत्य तत्त्वसाधने करणीया ।
વિવેચન :- સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગ (નિરાલંબનયોગ) આ પ્રમાણે આ પાંચ યોગના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર ચાર ભેદ કરતાં ૫ × ૪ = ૨૦ ભેદ થાય છે. તે વીશે ભેદોના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એમ ચાર ચાર ઉત્તરભેદો થતા હોવાથી વીશને ચાર વડે ગુણતાં ૨૦ × ૪ = ૮૦, એમ યોગના કુલ ૮૦ ભેદ થાય છે. તે યોગદશાની પ્રાપ્તિથી આ આત્માને અયોગી નામના ચૌદમા ગુણસ્થાનકનો (મન-વચન-કાયાના યોગોથી રહિત અવસ્થાવાળા ચૌદમા અયોગી ગુણસ્થાનકનો) યોગ પ્રાપ્ત થાય છે. રત્નત્રયીની સાધનામય આ ૮૦ ભેદવાળા યોગની પ્રાપ્તિથી કર્મબંધના હેતુભૂત કાયાદિ યોગ રહિત એવી અયોગી અવસ્થા આ જીવ પ્રાપ્ત કરે છે.
અયોગિયોગ એટલે અયોગિ અવસ્થાની પ્રાપ્તિ, શૈલેશીકરણ અવસ્થા-મેરૂપર્વત જેવી અત્યન્ત સ્થિર અવસ્થા, મન-વચન-કાયાના સકલ યોગોની ચપલતાથી રહિત એવી જે અવસ્થા, તેની પ્રાપ્તિ થાય છે વળી તે શૈલેશીકરણ (અયોગી ગુણસ્થાનક) આવવાથી અનુક્રમે