SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૪ યોગાષ્ટક - ૨૭ જ્ઞાનસાર સ્વરૂપનું આલંબન લે છે કે જે પોતાનું સ્વરૂપ પોતાના જ અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ય-વ્યાપકભાવે રહેલું છે. દ્રવ્યાસ્તિકનયથી ધ્રુવ અને પર્યાયાસ્તિકનયથી ઉત્પાદ-વ્યયવાળું છે એમ ત્રિપદીવાળું, ભિન્નભિન્ન, નિત્યાનિત્ય, સામાન્ય વિશેષ, વાચ્યાવાચ્ય, અસ્તિનાસ્તિરૂપ આમ અનંત અનંત સ્વભાવવાળું છે. નિર્મળ, અમૂર્ત એવા આનંદમય છે. આ જ સ્વરૂપ મારે પ્રાપ્ત કરવા લાયક છે. ધ્યાન કરવા લાયક છે. આમ સમજીને પોતાના જ સ્વરૂપનું આલંબન જે લે છે તે ત્રીજી પરાવૃત્તિ જાણવી. આ રીતે આત્માના ગુણોની સાધનાની પદ્ધતિ છે અશુભમૂર્તમાંથી શુભમૂર્તમાં આ પ્રથમ, શુભમૂર્તમાંથી શુભ અમૂર્ત પરગુણમાં આ બીજી અને શુભ અમૂર્ત પરગુણમાંથી શુભ અમૂર્ત સ્વગુણમાં આ ત્રીજી પરાવૃત્તિ આમ ત્રણ પ્રકારના વળાંક લેવાથી જીવનું કલ્યાણ થાય છે. માર્ગ ઉપર ચઢે છે. આ જીવ આસનમુક્તિગામી થાય છે. सर्वेषां तत्स्वरूपसाधनं अरूपिगुणाः सिद्धगुणाः । तेषां भावनं सायुज्यं तादात्म्यता, तया योगः, आत्मोपयोगयोजनम् । यद्यपि ईषदवलम्बनं श्रुतादीनाम्, तथापि अनालम्बनमेव परः उत्कृष्टो योगः । उक्तञ्च पाठकैः - तत्राप्रतिष्ठितोऽयं यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । સર્વોત્તમનુન: વૃનુ, તેના નાનવને શીતઃ II (ષોડશક ૧૫, શ્લોક ૯) - निरालम्बनयोगेन धारावाही प्रशान्तवाहिता नाम चित्तं तस्य स्वरसत एव मनः सहजधारायां वर्तते, न प्रयासो भवति । उक्तञ्च विंशतिकायाम् - સર્વે પણ જીવોને અંતે તો અરૂપી એવા જે આત્મગુણો છે એટલે કે જે પોતાની શુદ્ધ સિદ્ધાવસ્થાના ગુણો છે. તે જ સ્વરૂપ સાધવાનું છે. કારણ કે અરૂપી એવા આત્મગુણોની પ્રાપ્તિ એ જ અન્તિમ લક્ષ્ય છે. તે ગુણો સાથેની જે તાદાભ્યતા-એકાકારતા, તેવી તાદાભ્યતા સાથેનો યોગ તે અનાલંબનયોગ કહેવાય છે. આત્માને આત્માના પોતાના ગુણોના ઉપયોગમાં જે જોડવું તેને અનાલંબનયોગ કહેવાય છે. આત્માને પોતાના અરૂપી ગુણોની સાથે તાદાભ્યતા કરવામાં જો કે શ્રુતાદિનું (શાસ્ત્રોનું અથવા શાસ્ત્ર સમજાવનારા ગુરુ આદિનું) આલંબન છે. તો પણ તે આલંબન ઈષદ્ હોવાથી (અલ્પ હોવાથી) ગણાતું નથી. તેથી અનાલંબન જ કહેવાય છે. જેમ કે સ્ત્રવ થવા: = આ રાબડી મીઠા વિનાની છે. અહીં રાબડીમાં મીઠું નાખેલું છે, પણ અલ્પ હોવાથી નથી એમ જ કહેવાય છે. તેમ અહીં આલંબન હોવા છતાં પણ “અલ્પ હોવાથી નથી જ” એમ સમજીને ઉત્કૃષ્ટ એવો આ અનાલંબન યોગ છે. પાઠક એવા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ પડશકમાં કહ્યું છે કે -
SR No.007779
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy