________________
જ્ઞાનમંજરી અનુભવાષ્ટક - ૨૬
૬૯૯ (૪) ઋજુસૂત્રનય :- ભાવાનુભવની પ્રાપ્તિ કરાવે એવાં વાચના, સ્વાધ્યાય, શાસ્ત્રાભ્યાસાદિ
જે અસાધારણ કારણો છે. તેમાં બાહ્ય ભાવોથી મનનો વિરોધ કરીને એકમેક થવું. મોહના સંકલ્પ-વિકલ્પોને રોકવા પૂર્વક અસાધારણ કારણોની ઉપાસનામાં તન્મય
થઈને વર્તતો સાધક આત્મા તે ઋજુસૂત્રનયથી ભાવાનુભવ જાણવો. (૫) શબ્દનય :- શાસ્ત્રોના નિરંતર અભ્યાસ દ્વારા અને ગુરુગમથી પ્રાપ્ત કરેલા જ્ઞાનના
ઉપયોગ વડે જાણેલ અનંતગુણ-પર્યાય રૂપ અનંતધર્મવાળું મારું આત્મદ્રવ્ય છે. આવું જાણીને આત્માની અનંત-અનંતતાના જ્ઞાનનો જે અનુભવ કરવો. અર્થાત્ અનંત
ધર્માત્મક આત્મદ્રવ્યની અનંતતાને અનુભવવી તે શબ્દનયથી ભાવાનુભવ જાણવો. (૬) સમભિરૂઢનય :- આત્માના અનંત ગુણોમાંથી મુખ્ય ગુણરૂપ જે જ્ઞાન-દર્શન નામના
ગુણો છે તે ગુણમય જે પોતાનું આત્મદ્રવ્ય છે તે પોતાના આત્મદ્રવ્યમાં જ રમણતા કરવી, તે ગુણમય આત્મદ્રવ્યનો જ ઉપભોગ કરવો, તે ગુણમય આત્માની સાથે જ જે એકતા (બીજું બધું ભૂલી જવું) તે સમભિરૂઢ નયથી ભાવાનુભાવ જાણવો. એવંભૂતનય :- આત્માના અનંતગુણોમાંથી કોઈપણ એક ગુણ-પર્યાયમાં જ જે તન્મયતા-લીનતા તે ભાવાનુભવ જાણવો. ઉત્તરોત્તર નયોની અપેક્ષાએ શુદ્ધ આત્મદ્રવ્યના અનુભવ તરફ ગમન કરવાનું જાણવું. અહીં જેનો અનુભવ લક્ષ્ય (સાધ્ય) છે તેની જ વિચારણા કરવાની છે. અર્થાતુ પોતાના આત્માના શુદ્ધાનુભવની પ્રાપ્તિ કરવાની છે તે જ દશા લક્ષ્ય છે. માટે આ અષ્ટકમાં તેની જ વિચારણા કરવામાં આવશે. કારણ કે આત્માના સ્વરૂપનો અનુભવ જેમાં ન થાય તેવા પ્રકારનાં, સ્વરૂપ અનુભવ વિનાનાં જ્ઞાન અને આચરણાદિ ધર્મકાર્યો આ જીવે અનંતીવાર કર્યા છે, પણ મુક્તિફળ આપનાર બન્યાં નથી અને બનતાં નથી. તેથી તે ફળને આશ્રયી આવાં ધર્મકાર્યો નિષ્ફળ છે. તેથી જ તે ધર્મકરણી દ્રવ્યરૂપ જ કહેવાય છે. માટે ફળપ્રાપ્તિ કરાવે તેવા ભાવાનુભવવાળા થવું જોઈએ.
सर्वत्र गुणपरिणतौ अनुभवेनैवानन्दता, नो चेत् शब्दज्ञानशून्यशब्दश्रवणवत् अपार्थकमेवेति । श्रूयते च कष्ठानुष्ठानकोटिकरणेऽपि न तत्त्वप्राप्तिः, कुलबालकादीनामिवानुभवमन्तरेण । परिग्रहप्रसङ्गोपचितविषयसङ्गसद्भावेऽपि अन्तर्मुहूर्तात्मानुभवलीनानां सर्वज्ञत्वसिद्धिः कूर्मापुत्रादीनाम् । तेनानुभवाभ्यासः साध्यः शुद्धसाध्यસિ: તારોપવેશ: ૩પવિતે –