________________
જ્ઞાનમંજરી
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
૧૮૯
અહીં ગંગા અને ગૌરી આ બન્ને સ્રીજાતિ છે તેથી મુનિ પક્ષમાં વિરતિ અને શપ્તિ આ બન્ને સ્ત્રીલિંગ શબ્દો લીધા છે. મહાદેવ જ્યારે વિદ્યાધારીપણામાં પ્રવર્તે છે ત્યારે ગંગા સાથે હોય છે અને જ્યારે વિક્રિયાકાલમાં (ભોગ-ઉપભોગકાલમાં) પ્રવર્તે છે ત્યારે પાર્વતીના મનને રંજિત કરવા માટે પાર્વતીની સાથે હોય છે આમ લોકોક્તિ છે. મહાદેવ જેમ કૈલાશ પર્વત ઉપર રહે છે વૃષભ ઉપર બેઠેલા છે અને ગંગા-ગૌરી સાથે છે તેમ આત્મજ્ઞાની આ મુનિ આત્મામાં રહે છે વિવેક ઉપર બેઠેલા છે અને વિરતિજ્ઞપ્તિ એમ બે ક્લાની સાથે રહેનારા છે. આત્મતત્ત્વના ભોગ-ઉપભોગનો આનંદ માણનારા છે. આમ અર્થ કરવો. ॥૫॥
ज्ञानदर्शनचन्द्रार्कनेत्रस्य नरकच्छिदः ।
सुखसागरमग्नस्य, किं न्यूनं योगिनो हरेः ॥६॥
ગાથાર્થ :- જ્ઞાન દર્શન રૂપી ચંદ્ર અને સૂર્ય છે નેત્ર જેનાં એવા, તથા નરકને છેદનારા અને સુખસાગરમાં ડૂબેલા એવા યોગીને કૃષ્ણ કરતાં શું ન્યૂન છે ? અર્થાત્ કૃષ્ણથી કંઈ ન્યૂન નથી. ॥૬॥
ટીકા :- ‘“જ્ઞાનવર્શનેતિ'' યોશિન:-રત્નત્રયપરિતમ્ય, દ્દો:-ળાત્ ત્રિં ચૂનમ્ ? न किमपि किम्भूतस्य योगिनः ? ज्ञानदर्शनचन्द्रार्कनेत्रस्य - ज्ञानं - सामान्यविशेषात्मके वस्तुनि विशेषावबोधः । सामान्यविशेषात्मके वस्तुनि सामान्यावबोधः दर्शनम्, ते एव चन्द्रार्कौ नेत्रे यस्य सः, तस्य, हरेः चन्द्रार्कनेत्रत्वं तु लोकोक्तिरेव । पुनः किम्भूतस्य योगिनः ? नरकच्छिदः - नरकगतिनिवारकस्य हरेस्तु नरकाभिधानशत्रुविदारकस्य सुखसागरमग्नस्य - कृष्णार्थे इन्द्रियजसुखलीलासमुद्रमग्नत्वम् योगिनस्तु सुखं सम्यग्ज्ञानदर्शनचारित्रसमाधिनिष्पन्नं, तस्य सागरः, तत्र मग्नस्य आध्यात्मिकसुखपरिणामभाजनस्य साधोः केन सह न्यूनता ? न केनापि इति ॥६॥
વિવેચન :- આશ્લોકમાં અધ્યાત્મરસિકમુનિને કૃષ્ણથી શું ઓછું છે ? એમ કહીને કૃષ્ણની સાથે સરખાવે છે. જગતમાં એવી પ્રસિદ્ધિ છે કે ચંદ્ર અને સૂર્ય એ બન્ને કૃષ્ણનાં નેત્રો છે. કૃષ્ણે નરક નામના શત્રુનો નાશ કર્યો હતો અને સાંસારિક ભોગસંબંધી સુખસાગરમાં ડૂબેલા હતા તેવી રીતે આ મુનિને જ્ઞાન અને દર્શન આ બે નેત્રો છે. નરકગતિનો ઉચ્છેદ કર્યો છે અને આધ્યાત્મિક સુખસાગરમાં લીન છે. તેથી આ મુનિને