SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક- ૧૧ ૩૪૫ नाणं पगासगं सोहगो, तवो संजमो उ गुत्तिकरो । तिण्णंपि समाजोगे, मुक्खो जिणसासणे भणिओ ॥१०३॥ તથાપિ ૩પપ પ્રશ્નો (ગાથા-૧૯૧) તિર્મક્ષય: મvફૂQતુત્ય , ज्ञानकृतकर्मक्षयस्तद्भस्मकल्प एव ज्ञातव्यः । तु-पुनः, या च एकैकमुख्यता, अत्रसाधनावसरे सा भूमिकाभेदतः, भूमिका-गुणस्थानावस्था, तस्याः भेदतः, ध्यानाद्यवसरे ज्ञानं मुख्यतः, अर्वाक् क्रियैव मुख्यतः, तथा सर्वत्र साधनसामग्री यथायोगं कार्या । उक्तञ्च भगवतीटीकायाम् जइ जिणमयं पवज्जह, ता मा ववहारनिच्छए मुयह । इक्केण विणा तित्थं, छिज्जई अन्नेण उ तच्चं ॥१॥ अतः साधनोद्यताः सर्वमपि स्वस्थाने स्थापयन्ति ॥७॥ જ્ઞાન એ પ્રકાશ આપનાર ગુણ છે. તપ એ જુનાં કર્મોની નિર્જરા કરનારો એટલે કે શુદ્ધિ કરનારો ગુણ છે અને સંયમ એ નવાં બંધાતાં કર્મોને રોકનારો એટલે ગુપ્તિ કરનારો ગુણ છે. આ ત્રણે ગુણોનો સંયોગ (મીલન) થાય તો જ મોક્ષ થાય એમ શ્રી જૈનશાસનમાં કહેલું છે. જેમ કોઈ એક મોટા ઘરને સ્વચ્છ કરવું હોય તો કચરાને દેખાડનાર પ્રકાશ પણ જોઈએ, ઘરમાં પડેલા કચરાને સાફ કરવા માટે સાવરણીનો ઉપયોગ પણ કરવો પડે અને તે કાલે નવો કચરો ન આવે તે માટે બારી બારણાં બંધ પણ કરવાં પડે. આમ પ્રકાશ-શુદ્ધિ અને ગુપ્તિ આપનાર જ્ઞાન, તપ અને સંયમના મીલનમાં જ મોક્ષ થાય, આમ જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં કહેલું છે. આ રીતે નિશ્ચયનયથી જ્ઞાન અને વ્યવહારનયથી ક્રિયા એટલે તપ અને સંયમ આ બધું સાથે હોય તો જ મોક્ષ થાય છે. તેથી જ્ઞાનવાદ કે ક્રિયાવાદ બન્નેનું એકીકરણ કરવું અર્થાત્ મીલન કરવું એ મોક્ષહેતુ છે આમ જાણવું. તથાપિ = આમ બન્ને સાથે હોવાં જોઈએ, તો પણ તેમાં એક મુખ્ય અને એક ગૌણ એમ ઉપદેશપ્રકરણમાં કહ્યું છે. એકમાં કર્મોનો ક્ષય કરવાની તીવ્રતા છે અને બીજામાં કર્મોનો ક્ષય કરવાની તેવા પ્રકારની વિશિષ્ટ તીવ્રતા નથી. તેથી ગૌણ-મુખ્ય પણ કહ્યા છે. તે આ પ્રમાણે - “ધર્મક્રિયા કરવાથી જો અંદર જ્ઞાન ન હોય તો અકામનિર્જરાથી કર્મોનો ક્ષય થાય છે, પણ તે દેડકાંના શરીરના ચૂર્ણ તુલ્ય છે. એટલે કે મરેલા દેડકાના શરીર તુલ્ય છે. જે પાણી આદિનો યોગ થતાં સમૂછિમ જીવ હોવાથી ફરીથી પણ ઉત્પન્ન થાય છે. એમ ક્રિયા કરવાથી કર્મોનો ક્ષય થાય છે. પણ જ્ઞાન ન હોવાથી ક્રિયા પૂરી થાય એટલે પાછો જીવ
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy