SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ નિર્લેપાષ્ટક - ૧૧ જ્ઞાનસાર ભોગ અને કષાયોમાં જોડાઈ જાય છે. એટલે ફરીથી કર્મો બાંધે છે. માટે મંડૂકચૂર્ણતુલ્ય છે. જ્યારે જ્ઞાનદશા જો જાગૃત હોય તો મનમાં વૈરાગ્યભાવ અને અધ્યાત્મદશા જાગૃત હોવાથી જે કર્મોનો ક્ષય થાય છે તે સકામનિર્જરા હોવાથી મરેલા દેડકાંના શરીરોને બાળીને કરેલી રાખ તુલ્ય છે કે જે રાખમાં ફરીથી દેડકાં ઉત્પન્ન થતાં નથી. તેમ જ્ઞાનપૂર્વક જો કર્મોનો ક્ષય કરાયો હોય તો ફરીથી કર્મો બંધાતાં નથી. તેથી જ્ઞાન એ પ્રધાન છે અને ક્રિયા એ ગૌણ છે. આમ નિશ્ચય એ મુખ્ય છે અને વ્યવહાર એ ગૌણ છે. એવું ઉપદેશપ્રકરણમાં કહ્યું છે. આ જ વાત પૂજ્ય હરિભદ્રસૂરીજી મહારાજાએ યોગષ્ટિસમુચ્ચયમાં પણ કહેલી છે. તે આ પ્રમાણે - तात्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥२२३॥ खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशि च । विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥२२४॥ તાત્ત્વિક એવો પક્ષપાત (તત્ત્વના પક્ષપાતવાળું જ્ઞાન) અને ભાવશૂન્ય જે કેવળ એકલી ક્રિયા, આ બન્નેની વચ્ચે સૂર્ય અને આગીયા જેટલું મોટુ અંતર જાણવું. ૨૨૩ આગીયાનું જે તેજ છે તે પ્રમાણમાં અલ્પ છે અને વિનાશી છે. સૂર્યનું જે તેજ છે તેનાથી વિપરીત છે. એમ પંડિતપુરુષોએ જાણવું. ૨૨૪ો દ્રવ્યગુણપર્યાયના રાસમાં પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પણ કહ્યું છે કે – નાણરહિત જે શુભક્રિયા, ક્રિયારહિત શુભ નાણ ! યોગદૃષ્ટિસમુચ્ચયે, અંતર ખજુઆ-ભાણ. ૧૫-all ખજુઆ-સમી ક્રિયા કહી, નાણ-ભાણ સમ જોઈ ! કલિયુગ એહ પટંતરો, વિરલા બુઝઈ કોઈ I/૧૫-૪ ક્રિયામાત્ર કૃત કર્મખય, દદુર ચુન સમાન ! જ્ઞાન કિક ઉપદેશપદિ, તાસ છાર સમ જાણ /૧૫-પી/ ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ કહ્યું છે કે – सूई जहा ससुत्ता, ण णस्सइ कयवरम्मि पडिआ वि । इय जीवो वि ससुत्तो, ण णस्सइ गओ वि संसारे ॥१५-६॥
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy