SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં ગ્રંથકાર શ્રી હરિભદ્રસૂરિજી બહુ સુંદર અને સ્પષ્ટ રીતે ચારિત્રીના વિભાજન કરે છે. (૧) દેશવિરતિ ચારિત્રવાન (૨) સર્વવિરતિ ચારિત્રવાના ૫.૫.૧ યોગમાર્ગનાં પંથે દેશવિરત ચારિત્રવાન યોગમાર્ગનાં પંથી ચારિત્રવાન આત્મા દેશ અને સર્વ ચારિત્રનાં ભેદથી અનેકવિધ છે. તે પ્રકારનું વર્ણન કરતાં કહે છે કે, “આજ્ઞાપરિણતિનાં ભેદને કારણે સામાયિક શુધ્ધિનાં ભેદથી આ ચારિત્રવાન આત્મા અનેક પ્રકારે છે. અંતે તે સર્વ જીવો યાવત ક્ષાયિક વીતરાગ છે.” ચારિત્ર દેશચરિત્રવાન (શ્રાવક) સર્વચરિત્રવાન (શ્રમણ) ઇવરકાલિક અલ્પકાલીન યાવત્કાલિક સામાયિક પરિહારવિશધ્ધિ યથાખ્યાત કાયમી ચારિત્ર છેદોપસ્થાપનીય સૂક્ષ્મસંપરાય ઈવરંકાલિક યાવથિક પ્રથમ અને અંતિમ મધ્યના ૨૨ જિનનાં મુનિઓ તથા તીર્થંકરનાં મુનિઓ મહાવિદેહ ક્ષેત્રનાં મુનિઓ સામાયિક એટલે સમતભાવની પ્રાપ્તિ. ઈવરકથિત (અલ્પકાલીન) અને તેનાથી ઈતર (યાવસ્કથિત = ચાવજીવ)ના અંગીકરણ દ્વારા સામાયિકની શુધ્ધિનાં ભેદને કારણે દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ ચારિત્ર બે ભેદવાળું છે. અને તે બંને ચારિત્ર પણ અવાંતર ભેદની અપેક્ષાએ અનેક પ્રકારનાં છે જે ઉપર દર્શાવેલ છે. દેશચારિત્રવાન ગૃહસ્થ શ્રાવક પહેલી દર્શન પ્રતિમાથી પ્રારંભીને ક્રમશઃ અગિયાર પ્રતિમા સુધી અનુક્રમે અનેક ભેદવાળું છે. અગિયાર પ્રતિમા - - (૧) દર્શન પ્રતિમા (૫) સચિત્ત ત્યાગ પ્રતિમા (૯) પરિગ્રહ ત્યાગ (૨) વ્રત પ્રતિમા () રાત્રિભોજન ત્યાગ (૧૦) અનુમતિ ત્યાગ (૩) સામાયિક પ્રતિમા (૭) બ્રહ્મચર્ય પ્રતિમા (૧૧) ઉદિષ્ઠ ત્યાગ (૪) પૌષધ પ્રતિમા (૮) આરંભ ત્યાગ વ્રતનાં ઈવરકાલિક અને યાવત્કથિતનાં ભેદથી સામાયિકની શુદ્ધિનાં ભેદ છે. અને ૧૧મી પ્રતિમા પછી સર્વવિરતિ સામાયિક પરિણામ શરૂ થઈ જાય છે. સર્વવિરતિ ચારિત્ર્યવાન શ્રમણમાં નીચેના પાંચ ભેદોથી અનેક ભેદોવાળું છે. 6A
SR No.007277
Book TitleYogshatak Granth Ek Aadhyayan
Original Sutra AuthorN/A
AuthorJagruti Nalin Gheewala
PublisherAntarrashtriya Jainvidya Adhyayan Kendra
Publication Year2011
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy