SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમા અસમાધિસ્થાનની ભયાનકતા સમાધિ તો સંયમનો પ્રાણ છે. માટે તે ન તૂટે તેની જાગૃતિ ડગલે ને પગલે રાખવી. આજે સાતમું અસમાધિસ્થાન વિચારીએ. ભૂગોવધારૂ = જીવોનો ઉપઘાત કરવો. એકેન્દ્રિય વગેરે જીવોની વિરાધનાથી અસમાધિ ઉત્પન્ન થાય. બીજાને અશાતા આપીએ તો આપણને અશાતા અને અસમાધિ થાય. અનાદેય-અપયશ-અસમાધિ-અશાતા પ્રાયઃ એકબીજા સાથે સંકળાયેલ હોય છે. માટે તે બધા પ્રાયઃ સાથે જ ઉદયમાં આવે. ઓઘનિર્યુક્તિમાં જણાવ્યું છે કે ડાફોળીયા મારતા ચાલીએ અને કદાચ કીડી ન મરે તો પણ કીડી માર્યાનું પાપ લાગે. ઉપયોગ પૂર્વક ચાલીએ અને તે છતાં જીવ મરે તો તે જીવને માર્યાનું પાપ ન લાગે. કારણ કે આપણો પરિણામ બચાવવાનો છે, જીવદયાનો છે उच्चालियम्मि पाए ईरियासमियस्स संकमट्ठाए । वावज्जेज्ज कुलिंगी मरिज्ज वा तं जोगमासज्ज ।। न य तस्स तन्निमित्तो बंधो सुहुमो वि देसिओ समए । अणवज्जो उ पओगेण सव्वभावेण सो जम्हा ।। (गा. ४८-४९) તેથી ઊલટું જો જીવને મારવાનો પરિણામ ન હોવા છતાં નિરપેક્ષપણે ચાલવાથી જીવને બચાવવાના પરિણામરૂપ જાગૃતિ ન હોય અને કીડી વગેરે ન મરે છતાં પણ પ્રમાદથી ચાલનારને જીવહિંસાનું પાપ ચોંટે જ છે. શાસ્ત્રમાં હિંસા ત્રણ પ્રકારે બતાવી છે. (૧) હેતુથી (૨) સ્વરૂપથી (૩) અનુબંધથી. હેતુહિંસા એટલે તે પ્રવૃત્તિ કે જે પ્રવૃત્તિ હિંસાનું કારણ બને તેવી યોગ્યતા ધરાવે. જીવો મરે કે ન મરે તે અહીં ગૌણ છે. પારિધ જાળ નાખે અને એક પણ કબૂતર ફસાય નહિ તો પણ १. भूयाणि एगिंदिया ते अणट्ठाए उवहणइ उवहणंतो असमाहीए जोएइ । ૪૩૧
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy