SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કોષસ્થાનકને પરહર્સ બ્રહ્મચર્યનું વિશુદ્ધ પાલન એ સંયમજીવનમાં ઘણી અગત્યની બાબત છે. આપણને વિજાતીયનું આકર્ષણ ન થાય તે માટે તપ, ત્યાગ, વૈયાવચ્ચ, વિહાર-ભિક્ષાટન આદિ શ્રમ તથા કાયોત્સર્ગ, સ્વાધ્યાય વગેરે આરાધના શાસ્ત્રકાર પરમર્ષિઓએ બતાવી છે. તથા વિજાતીયને આપણું આકર્ષણ ન થાય તે માટે લોચ, અસ્નાન, મલધારણ, અદંતધાવન, જીર્ણ-શીર્ણ-શ્વેત પણ મેલા વસ્ત્રનું પરિધાન, ખુલ્લા પગે વિહાર, સુગંધી દ્રવ્યના વપરાશનો ત્યાગ, ઈસ્ત્રી કરેલ કપડાનો ત્યાગ, પાવડર વગેરેની વિભૂષાનો ત્યાગ વગેરે આચારો શાસ્ત્રજ્ઞ ભગવંતે જણાવેલ છે. બ્રહ્મચર્ય બાધિત ન થાય તે રીતે જ બાકીના મહાવ્રત પાળવાના છે. બીજા વ્રતોમાં અપવાદ છે, કારણ કે રાગ-દ્વેષ વિના તેનું સેવન શક્ય છે. બ્રહ્મચર્ય નિરપવાદ છે. કારણ કે અબ્રહ્મસેવન રાગાદિ વિના અશક્ય છે. માટે જ કહેલ છે કે ન ય વિષિ अणुन्नायं, पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । मोत्तुं मेहुणभावं, न વિળા તંરાયોમે॥િ” બ્રહ્મચર્ય નિર્મળ રીતે પાળવા માટે (૧) ખાવામાં અંકુશ રાખવો. (૨) ઊંઘમાં નિયમન રાખવું. (૩) નબળા નિમિત્તોથી પોતાની જાતે દૂર રહેવું. (૪) અબ્રહ્મના વિચારોને અટકાવવાનું સત્ત્વ કેળવવું. (૫) આંખ ઉપર સંયમ રાખવો. (૬) વિશિષ્ટ તપ, ત્યાગ, ભિક્ષાટન, વિહાર, લોચ, વૈયાવચ્ચ એવા વગેરે કાયકષ્ટ દ્વારા શરીરનો કસ કાઢવો. (૭) કાયમ બોલીને સ્વાધ્યાય કરવો. (૮) નિયમિત રાત્રીસ્વાધ્યાય ઉપર ભાર આપવો. (૯) જ્યાંથી સ્ત્રીનો અવાજ સંભળાય, સ્ત્રીનું મોઢું દેખાય, 339
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy