SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ • શ્રદ્ધા/સમજણને આચરણમાં મૂકીએ તો તે જીવન બની જાય. સુલસ વિવેક જ્ઞાનનો અભાવ કે મંદતા પુદ્ગલની આસક્તિનું સૂચક છે બીજાના દુઃખને જોઈ જે ઓગળે અને બીજાના નિમિત્તે લેશ પણ સંકલેશ ન કરે તેનું હૈયું મૃદુ કહેવાય. સમ્યગ્ જ્ઞાન મેળવવાની ત્રણ શરત છે. (૧) પ્રણામ, (૨) પરિપ્રશ્ન (૩) પરિસેવા. ભગવદ્ગીતા(૪/૩૪) સમજણ અને અનુભૂતિ વૈરાગ્ય તરફ લઈ જાય છે. વૈરાગ્ય ત્યાગના સત્ત્વ સુધી પહોંચાડે છે. એ સત્ત્વથી મોક્ષમાર્ગે આગળ વધાય. સાધુ ચાર હેતુ માટે ગોચરી ન વાપરે. (૧) લાવણ્ય, (૨) ભોજનનો રસ, (૩) ચામડી સ્નિગ્ધ રાખવા, (૪) શરીર પુષ્ટ કરવા. શિષ્યએ તો શાસનની મૂડી છે, ગુરુની નહિ. પૃથ્વીની જેમ સાધુ પણ સહન કરવામાં ક્યારેય મર્યાદા નક્કી ન કરે. આલોચના નિકાચિત કર્મોના પણ અનુબંધોને તોડી નાખે. . તરવૈયાને માટે સોનાનો ભાર પણ અવરોધક છે. સંયમીને જીવનજરૂરીયાતની વસ્તુનું પણ આંશિક આકર્ષણ અવરોધક છે. આપણને સ્વાધ્યાય-વૈયાવચ્ચ કે આચાર-વિચારોનો સંતોષ થયો. સદ્ગુણોથી આપણને સંતોષ થાય તેવું કેટલું છે ? ૨૪૩
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy