________________
આચારચુસ્તતા, આત્મશુદ્ધિ અને ગુણસમૃદ્ધિ આ ત્રણના આધારે ઊભી થયેલી પુણ્યવિભૂતિથી શાસનનો ઉદય-પ્રભાવનારક્ષણ થાય છે. - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી ઉત્કટ સંવેગવાળાને અપરોક્ષ આત્માનુભૂતિમાં નિરર્થક વિલંબ પરવડતો નથી. - જંબૂકુમાર સુખશીલતાનો દોષ ચારિત્રના આચારોમાં નીચામાં નીચી કક્ષાએ લઈ જનાર છે. • યોગપટ્ટધારી સુમંગલાચાર્ય આચાર દ્વારા પરિણામ ઊભા થાય. તત્ત્વજ્ઞાન દ્વારા આચાર મજબૂત થાય. બંન્ને પરસ્પર પૂરક છે. પરના હિત માટે સ્વયં કષ્ટ સ્વીકારવાની વૃત્તિપૂર્વકનો વ્યવહાર = સમિતિ. નિરર્થક વૃત્તિ-પ્રવૃત્તિના ત્યાગપૂર્વક નિજમાં ઉતરવાની જાગૃતિ = ગુપ્તિ. છ પ્રકારની વ્યક્તિ ગુર્વાજ્ઞા પાળી ન શકે. (૧) અભિમાની (૨) કૃતઘ્ન (૩) અવિનીત (૪) ગર્વિત (૫) આપબડાઈખોર (૬) સાધુ-સજ્જનોને માટે ઠપકા પાત્ર. (ઉપદેશમાળા ગા.૭૩)
જ્યાં સમર્પણ હોય ત્યાં ખુલાસા કરવાની જરૂર નથી. - મૃગાવતી સાધી માર્ગસ્થ ક્ષયોપશમ એટલે સતત મોક્ષમાર્ગાનુરૂપ રુચિ-વૃત્તિવલણ. જેને પુણ્યોદયનું મમત્વ ન હોય; પુણ્યોદયથી પોતાને જે
મહત્ત્વ ન આપે તે સાચો સંયમી • આચારવાન બીજાને ધર્મ પમાડી શકે, નહિ કે માત્ર
વિચારવાન. • તામલી તપાસદષ્ટ મુનિ ભગવાને ગણધરોને પહેલાં દીક્ષા આપી = આચાર આપ્યા. પછી ત્રિપદી આપી = દ્વાદશાંગી આપી. માટે અપેક્ષાએ પહેલાં આચાર પછી જ્ઞાન----
| ૨૩૩