SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમીના સપનામાં • સપનાની સફર પૂર્વે સોનેરી સંધ્યા • નિષ્કારણપરાર્થવાસિત નિર્મલ અંતસ્તલમાં અવિરતપણે પ્રગટેલી ‘સર્વજીવહિતાય. “સર્વજીવસુખાય'... ની ઉદાત્ત ભાવનાથી બંધાયેલ જિનનામકર્મના ઉદયથી તારક તીર્થકર ભગવંતે સ્થાપેલ જિનશાસનની જ્યાં સુધી અંતઃકરણમાં પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી સાધનાના શિખરો... જેવાં કે ક્ષાયિક સમકિત, અપ્રમત્ત ચારિત્ર, ક્ષપકશ્રેણી, વીતરાગદશા, કેવલજ્ઞાન વગેરે ઉપર આરોહણ કરવું અશક્યપ્રાયઃ છે. જિનશાસનની સ્વહૃદયમાં તાત્વિક પ્રતિષ્ઠા કરવા માટે જિનાગમનિર્દિષ્ટ તીર્થંકરપ્રરૂપિત પદાર્થો-પરમાર્થો-રહસ્યાર્થીને આત્મસાત્ કર્યા વિના અન્ય વિકલ્પને અવકાશ જ ક્યાં છે ? એની સિદ્ધિ માટે સંયમસાધના કરવા કટિબદ્ધ બનેલા સંયમીઓમાં અપેક્ષિત સંકલ્પબળ પ્રગટાવનારા સપનાઓની આવન-જાવન એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે; કારણ કે તે મોક્ષમાર્ગે-સંયમમાર્ગે આગેકૂચ કરવાથી મળનારી મુક્તિનું-સિદ્ધિનું પ્રાથમિક પગથીયું છે. (૧) મંગલ સોનેરી સ્વપ્ર... તેનાથી પ્રગટેલ (૨) ભીષ્મ સંકલ્પબળ... તેના દ્વારા થનારી (૩) ભગીરથ પુરુષાર્થસભર સાધના... અને તેના ફળસ્વરૂપે મળનારી (૪) લોકોત્તર અપ્રતિપાતી સિદ્ધિ. આ ક્રમથી જ પ્રાયઃ સર્વ આત્માઓનો વિકાસ થાય છે. મુક્તિ-સિદ્ધિ માટે જ લોકોત્તર સંયમ સાધનાનો ભેખ ધારણ કરનારા સંયમીઓમાં જરૂરી સંકલ્પબળ ખૂટી જાય તો સિદ્ધિ શિખર ભણી પ્રારંભાયેલ પાવન પ્રયાણ અવનતિ-અધોગતિની ખીણ તરફ ગબડાવવાનું નિમિત્ત બનતાં વાર ન લાગે. આનાથી ભયંકર બીજી કોઈ દુર્ઘટના ના હોઈ શકે. માટે જ “માનવ જીવનની સાર્થકતા શામાં ?” એ બાબતમાં પ્રત્યેક પાવન સંયમી ગંભીરતાથી સાવધાન હોય જ. એમાં કોઈ બેમત નથી. સળંગ માંડ બે ઘડી પણ ન ટકનારા છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકને પૂર્વ કરોડ વર્ષો સુધી, ઊંઘમાં પણ, આત્મજાગૃતિના બળે સતત ટકાવી રાખનારા ઈન્દ્રવંદિત ૨૧૩
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy