SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણતિ પ્રત્યે નિરંતર અંતરમાં લક્ષ રાખવું એ અત્યંત મહત્ત્વનું છે. સંયમની પરિણતિ પ્રાપ્ત કરતાં પૂર્વે સંયમ-સમકિત-શાસનની બહાર ન ફેંકાઈ જઈએ તેની સાવધાની સૌથી વધુ આવશ્યક ચીજ છે. (૧) સંયમીની આશાતના-નિંદા-ટીકા. (૨) ચતુર્વિધ સંઘના કોઈપણ સભ્યની તથા ગુણવાનની ઈર્ષ્યા. (૩) કાયિક-વાયિક-માનસિક શક્તિનો કે પુણ્યશક્તિનો કે જ્ઞાન શક્તિનો અહંકાર. (૪) બળવાખોર માનસ. (૫) ગુરુ સાથે વાતવાતમાં દલીલ-બચાવ-સંઘર્ષ. (૬) બનાવટી-દાંભિક વલણ. (૭) પ્રાયશ્ચિત્ત કરવામાં બેદરકારી. આ સાત તત્ત્વ ખૂબ જોખમી છે, ભયંકર છે. આપણા જીવનમાં એમાંથી એક પણ ઘૂસી ન જાય તે માટે સતત સાવધાની કેળવવાની છે. બાકી બધી સંયમસાધનામાં પાણી ફરી વળે. ફરી ક્યારેય સંયમજીવન પણ મળી ન શકે. તેનાથી મોક્ષમાર્ગને આરાધવાની યોગ્યતા પણ ખતમ થાય, મંદ બને. સાતમાંથી એકેય ઉપદ્રવકારી તત્ત્વ જીવનમાં ન ઘૂસે એની સાવધાની કેળવ્યા બાદ સંયમની પરિણતિ જાગે, ખીલે, વધે, સાનુબંધ થાય તે માટે પ્રયત્ન ચાલુ કરવા. દા.ત. (૧) “જે ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર, જગ્યા, ઉપકરણ વગેરે કોઈને પણ ન ચાલે એ મને પ્રેમથી ફાવશે' - આવું વલણ કેળવવું. કેમ કે ઉપકરણ તદન સાદા તેમ સંયમ ઊંચું. કિંમતી - ભપકાદાર ઉપકરણ મેળવવાનું વલણ આવે તેમ સંયમ નિમ્ન કક્ષાનું બને. (૨) સાચા-ખોટાની બાહ્ય ચર્ચામાં પડ્યા વિના “સારું મેળવવું, ખરાબ છોડવું આવું વલણ નિરંતર કેળવવું. (૩) ગુરુના કડવા ઠપકામાં કાયમ પ્રસન્નતા કેળવવી. કારણ -૧૪૯
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy