SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ આજીવિકાક્ષા .પગથિયL આત્મગુણ વિકાસના ૬ પગથિયા આપણે સર કરવાના છે. (૧) પહેલું પગથિયું છે આત્મસ્વરૂપ જિજ્ઞાસા. “કોણ આવ્યું ? કોણ ગયું ? વિહાર કઈ દિશામાં થશે ? ક્યારે થશે ? ઓળી ક્યારે પૂર્ણ થશે ? કોનું ચોમાસુ ક્યાં નક્કી થયું ? અહીં કોણ ચૈત્રી ઓળી કરાવવા આવવાનું છે ? કોની ક્યાં શિબિર છે ? અહીં કોણે પ્રતિષ્ઠા કરાવી ? સામેની વ્યક્તિનું નામ શું છે ? તેનું ગામ કયું છે ?” ઈત્યાદિ મુફલીસ જિજ્ઞાસાઓને છોડી “હું કોણ છું? મારું સ્વરૂપ શું છે ? મારા સહજ ગુણ-શક્તિ-લબ્ધિનું સ્વરૂપ શું છે ? તે ક્યારે પ્રગટ થશે ?” આવી જિજ્ઞાસા જાગે તો સ્વરૂપજિજ્ઞાસાનો પ્રારંભ થાય. પરરૂપ જિજ્ઞાસા મટે તો જ સ્વરૂપજિજ્ઞાસા તાત્વિક બને; બાકી તે બૌદ્ધિક કે વાચિક બને. સ્વરૂપજિજ્ઞાસા પછી (૨) આત્મસ્વરૂપબોધ એ બીજું પગથિયું છે. “હું જાડો, લાંબો, કાળો, ગોરો દૂબળો” ઈત્યાદિ બોધ પરરૂપબોધ છે; જે એક જાતનો માત્ર ભ્રમ છે. જડના સ્વરૂપનો પોતાના સ્વરૂપમાં આરોપ કરવો તે કેવળ ભ્રાન્તિ છે. જડના સ્વરૂપનો બોધ રાગ-દ્વેષ-મોહ વગેરે વિકૃતિને પેદા કરી ચેતનસ્વરૂપનો બોધ આવરે છે. આમ ચેતનમાં જડસ્વરૂપનો આરોપાત્મક બોધ કે ઉપાદેયરૂપે જડસ્વરૂપનો ભ્રાન્ત બોધ આત્મસ્વરૂપગોચર બોધને અટકાવનાર હોવાથી તે બન્નેને દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો જ અભ્રાન્ત આત્મસ્વરૂપનો તાત્ત્વિક બોધ પ્રગટે. “અનંત જ્ઞાનદર્શન-ચારિત્ર-શક્તિ, અખંડ આનંદ સ્વરૂપ મારો આત્મા અજર-અમર-અછદ્ય-અભેદ્ય-અવિનાશી છે' આવો આત્મસ્વરૂપવિષયક સ્પષ્ટ નિર્મળ બોધ પ્રગટાવવાનું સૌભાગ્ય ત્યારે પ્રાપ્ત થાય. (૩) ત્રીજું પગથિયું છે આત્મસ્વરૂપરુચિ. “જડ પદાર્થ સડન –૧૪૮F
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy