SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર કરે છે. પરંતુ અનિવાર્ય અને મહત્ત્વની ચીજ મૃત્યુ તરફ જાણે આંખ મીંચામણા કરે છે. જ્ઞાની પુરુષો રતન જેવા માનવભવનું જતન કરવાની ડગલેને પગલે વાત કરે છે. આપણને સાવધાન બનાવે છે કે હજુ હાથમાં તક છે. આરાધના કરી લો. બેસવું હોય તો બેસી જાવ, ગાડી ઉપડી જાય છે. મોક્ષનગરની ગાડીમાં બેસવાનો ચાન્સ એકમાત્ર માનવને મળે છે. પશુને કોઈ કહે પણ નહિ. કારણ કે તેને સમજણ નથી. પરંતુ માનવની પાસે બુદ્ધિ છે, સમજણ છે, શક્તિ છે, અનુકૂળતા છે. જ્ઞાની પુરુષોની આ વાત ઉપર ધ્યાન આપીને જીવનને જયણામય, ગુણમય બનાવીએ. મેળલા સંયમ જીવનને સમાધિમય બનાવીએ. સંયમની મસ્તીથી જીવીએ, મોજથી મરીએ તો ધન્ય બનીએ. આરાધનાની પ્રવૃત્તિમાં ભલે કદાચ વધારો ન થાય, આરાધકભાવની વૃત્તિમાં તો ઘટાડો ન જ થવો જોઈએ. તપમાં ભલે આગેકૂચ ન કરી શકીએ. આહારસંશાને તોડવામાં તો કચાશ ન જ રાખીએ. સ્વાધ્યાયમાં કદાચ હરણફાળ ભરી ન શકીએ, આત્મનિરીક્ષણમાં તો ગોકળગાયપણું ન જ પાલવે. વિશિષ્ટ સદ્ગુણવૈભવને કદાચ આત્મસાત્ ન કરી શકીએ. પરંતુ દોષત્યાગમાં તો પીછેહઠ ન જ થવી જોઈએ. આવી પ્રતિપળ સાવધાની રાખીને ‘દેવો પણ આપણો આંતરિક દેદાર જોઈને ઝૂકી પડે’-એવો આરાધનાનો અને આરાધકભાવનો વૈભવ પામો એ જ અંતરની એક માત્ર તમન્ના. લખી રાખો ડાયરીમાં... જડમાં પરિવર્તન કરવાની કળા અનાદિકાળથી હસ્તગત કરી છે. જાતમાં પરિવર્તન કરવાની કળા આત્મસાત્ કરીએ તો બેડો પાર થાય. ૯૬
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy