SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ કર] કવિકુલકિરીટ વિતરાગપ્રણત જિનધર્મ કેટિ પ્રયત્ન પણ હાથમાં આવી શક્ય છે. ધન કમાવાની ઉત્તમ તક મેળવ્યા પછી કુંભકર્ણની નિદ્રામાં ઘેર્યો, મસ્ત બને તે કયારે કમાણું કરીશ?ચંચળ જીવનને વિશ્વાસ નથી. નદીના પ્રવાહમાં નાજુકડા તણખલાને તણાતાં વિલંબ શાનો થાય? તેમ કાળના પ્રવાહમાં માનવ જન્મની ટુંકી શી જીંદગી જોતજોતામાં પસાર થઈ જશે. અમેઘ સંયમને ક્યારે પ્રાપ્ત કરૂ. સદાકાળ ગુરૂચરણની શુશ્રુષાને લાભ કયારે લઉં? ગુરૂના અનુગ્રહથી નવું નવું જ્ઞાન કયારે પ્રાપ્ત કરું? મારી અદશ્ય શક્તિને ખીલવી મારા કલ્યાણની સાથે હજારેનું કલ્યાણ શી રીતે સાધું? એ ઉત્તમ ભાવનાના મનહર મનેર ચિત્રો હૃદય પથ ઉપર આલેખાતા ગયા. માનવોનું માનસ એ આત્મ ભાવનું પ્રતિબિંબ છે. માનસની તે નિર્મળ ભાવનાઓને આવિર્ભાવ કરવાનું અમોઘ સાધન મુખ છે. માનવી, પ્રવૃત્તિઓ, એ આત્મા મન અને આકૃતિ એ ત્રણેયને એક સુંદર આદર્શ છે. લાલચંદભાઈએ ઉત્તમ નિર્દોષ આત્મ ભાવનાઓને, પ્રતિબિંબના વ્યાજે માનસ ક્ષેત્રમાં મૂર્તિમંત બની આવિર્ભાવ કર્યો, આત્મ ભાવના અને આકૃતિની ઔદાસીને ભાવના એ બન્ને શસ્યપ્રવૃત્તિના પ્રતાપે અમલ આદર્શમાં અંકાવા લાગ્યા જેના પ્રતાપે તેમની પ્રત્યેક કરણીએ વિરકતતાને વધારનારી થઈ શ્રી ઉદ્યોતવિજયજી મહારાજ માણસાથી જ્યારે વિહાર કરી ગયા ત્યારે જનતાને ગુરૂ વિરહ સાલ્યો. જેમ ગગનમંડળમાં સ્યામળાં વાદળે. ઘેરાય છે. વાયુના સહારાથી મુશળધાર વરસાદ વર્ષોવી તખપૃથ્વીને તૃપ્ત કરે છે. પવન અને વાદળ વિખેરાય છે. છતાંય વિશાળ અને ઉંડા જળાશયોમાં જળનો વારસો મૂકતાં જાય છે. જેથી વૃષ્ટિને ઉપકાર જનતા વિસરતી નથી તેમ ગુરૂ વિરહ થયે પણ તેઓની દેશના વૃષ્ટિએ જૈનજનતાના હદયને તૃપ્ત કર્યા હતા. માનસ
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy