SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સરિશેખર [ ર૩૯ તની જાહેર ખબરે પહોંચી ચૂકી હતી. હમેંશ કરતા આજે તે માનવ મેદની મેટા પ્રમાણમાં ચરિત્ર નાયકના મુખથી વીર ચરિત્ર શ્રવણ કરવા આવવા લાગી. વયેવૃદ્ધ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય સિદિસરિશ્વરજી મહારાજ અધ્યક્ષતામાં બીરાજ્યા. શરૂઆતમાં પ્રભુ સ્તુતિ કર્યા બાદ ચરિત્ર નાયકે વીરપ્રભુનું જન્મ કલ્યાણક ઉજવવાનો હેતુ ? ક્યા ઉત્તમ આત્માઓનું જન્મ કલ્યાણક ઉજવાય ! વીરપ્રભુએ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લેકને ત્યાગનો સંદેશો પાઠવી ચારગતિમાં સબડતી દુનિયાને કેવી રીતે ઉદ્ધરી? તેઓએ કેવા પ્રકારની ઘોર તપશ્ચર્યા કરી? માતાના ગર્ભમાં પ્રતિજ્ઞા લેવાને મુખ્ય હેતુ છે? કપિલ અંહીપણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે એ ઉત્સત્ર પ્રરૂપણાથી કેટલે સંસાર ભમ્યા ? વિગેરે પિઈન્ટ ઉપર લગભગ અઢી કલાક સુધી યુક્તિ પ્રયુક્તિ આપી સુંદર વિવેચન કર્યું હતું. વિનતિને અસ્વીકાર અમદાવાદની જનતાએ ચરિત્ર વિભુને ચાતુર્માસ કરવા ઘણું આગ્રહ ભરી વિનતિ કરી પરંતુ પૂજ્ય આચાર્ય દેવની છાયામાં જવાનું હોવાથી વિનતિને અસ્વીકાર કરી ત્યાંથી વિહાર કરી ખેડા માતર વિગેરે તીર્થોની યાત્રા કરતા છાયાપુરીમાં પધાર્યા. ચરિત્ર નાયકના પધારવાથી છાણુના સંઘને અતીવ આનંદ થયો. ગુરૂદેવના દર્શન થતાં ચરિત્ર નાયકના રેમરેમ પ્રકૃલિત થયા. તેમજ ગુરૂદેવની ક્ષણભર નિર્નિમેષ બનેલી મીઠી અને દિવ્ય નજર માને કે ચરિત્ર નાયક પર ભાવમાં શાસનના રક્ષક બનવાના આશિર્વાદ જ ન વર્ષાવતી હેય? દીક્ષાની ફેકટરી– છાણ ગામ એટલે સમજો કે ધર્મનું એક ધામ જ છે. જ્યાં અનેક વિરક્ત આત્માઓની પ્રવજ્યા ઘણાજ ઠાઠથી થઈ છે અને થાય છે જ્યાંને શ્રાવક સંઘ ત્યાગપતિ અતીવ ઢળેલ છે. ત્યાગીઓના
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy