SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ] કવિકુલકિરીટ ફતવાસી આત્માઓને જેમ જેમ જ્ઞાન પ્રાપ્તિ થતી જાય તેમ તેમ આદર્શ ગંભીરતા પેદા થતી જાય છે અને સાચા જ્ઞાની પણ તે જ છે કે પિતાની દક્ષતા અને નિષ્ણુતતા ગુપ્ત રાખે છે પણ પ્રસંગ આવ્યું ધર્મોન્નતિ માટે તેને સદુપયોગ કરી શાસન સેવામાં જીવન ફાળે એ છે. મુનિરાજ શ્રી વલ્લભ વિજયજી મહારાજ (હાલમાં શ્રીમદ્ વિજય વલ્લભસૂરિજી મહારાજ ) ને જીરાવાસી લાલા હરદયામલ હકીમજીએ તેઓની પાસે આવી સવિનય વંદન પૂર્વક પ્રશ્ન પૂછે કે “મહારાજ શ્રી ? નિગદમાંથી નીકળેલે જીવ ફરી નિગોદમાં ઉત્પન્ન થાય? અને ઉત્પન્ન થાય તે વ્યવહાણ રાશીને કહેવાય કે અવ્યવહાર રાશીને કહેવાય ! જો કે આ પ્રશ્ન એટલે બધે ગહન કે ગુંચવાડા ભરેલ નથીજ પરન્તુ આ વિષયના અભ્યાસી ન હોય તેવાને માટે છે પણ છે. કારણ કે સૈધાનિક જ્ઞાનના પરિચિતેનેજ આવા વિષયો વિદિત હોય છે. જેઓને સિધ્ધાન્ત અવલોકન બાદ સૈદ્ધાંતિક ત સ્મૃતિ ભ્રષ્ટ ન થયા હોય અને ધારણાવાટિકામાં તે તત્વ સુમનની સુવાસ સંચિત રહેતી હોય તેવા અપૂર્વ જ્ઞાનધર પુરૂ કુશાગ્ર મતિથી શીધ્ર પ્રત્યુત્તર આપવા સમર્થ બને છે. આ પ્રકને શ્રીમાન વલ્લભવિજયયજીને વિમાસણસો ઉતાર્યા, આને શું ઉત્તર આપ એ સ્મૃતિપથમાં ન બેઠું. આ અવસરે લઘુવયના પણ તેમતિ બહુલજ્ઞાની આપણા ચરિત્રનેતા પાસેજ બેઠા હતા. તેઓશ્રી શાન્ત મુદ્રાથી તેમને જવાબ આ કે નિગદના જીવો નિગોદમાંથી બહાર નીકલી પાછી નિગોદમાં જાય છે. અને તે ત્યાં ગયેલા વ્યવહાર રાશીના જીવો કહેવાય છે. વલ્લભવિજ્યજી મહારાજ વિચારે છે કે આ મુનિવર લઘુવયસ્ક હેવા છતાં અને ન્યાયને કઠીન અભ્યાસ જારી હેવા છતાં સિદ્ધાતિક બાબતેના જવાબ આપવાની અજબ શક્તિ ધરાવે છે. તેઓની શક્તિ ઉપર શ્રી વલ્લભ વિજયજી મહારાજે બહુ ખુશી બતાવી, તેમનું હાર્દ તેમના ઉપર ઘણુંજ ઢળ્યું. પરંતુ પરીક્ષા માટે તેઓએ પૂછયું કે તમે
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy