SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૫ ) શરીર રૂપી મેરૂ પર્વતની બન્ને બાજુએ નિર્મળ જળના નિઝરણાં પ્રસરતા હોય એમ લાગે છે. ૩. તમારા મસ્તક ઉપર દેવતાઓએ ત્રણ ત છત્રો ધર્યા છે, તે જાણે કે તમારી સેવા કરીને પોતાના કલંકનો નાશ કરવા માટે ત્રણ રૂપને ધારણ કરીને આવેલા ચંદ્રજ હોય તેમ શોભે છે. ૪. જગતના ભવ્ય જી પાસે ધર્મના ચાર પ્રકારને કહેતી તમારી વાણું (દિવ્ય ધ્વનિ ) જાણે કે ચાર ગતિના દ્વારને બંધ કરવા માટે કપાટને (બારણાને પ્રગટ કરતી હોય તેમ શોભે છે. પ. હે પ્રભુ ! તમારી પાછળ રહેલે અચેતન ચેત્યવૃક્ષ પણ અશકપણાને પામે છે, તે તમને આશ્રય કરનાર સર્વ - નો અશોકપણાને પામે તેમાં શું આશ્ચર્ય ? ૬. સૂર્યના કિરણે જેવા પ્રકુટિલત મુખકમળવાળા હે દેવ ! તમે રૂપની લક્ષ્મી વડે કામદેવને પરાભવ કર્યો, તેથી તે ભય પામીને પિતાનાં શય રૂપી પુને તમારી પાસે મૂકીને પુષ્ય વૃદ્ધિ કરીને ) નાસી ગયો જણાય છે. ૭. અગણ્ય લાવણ્ય વડે શ્રેષ્ઠ રૂપવાળા હે સ્વામી ! વૈર્ય રત્નના સિંહાસન ઉપર રહેલી તમારી મૂર્તિ જાણે કે આકાશમાં રહેલી ચંદ્રની સોળમી કળા હોય તેવી શોભે છે. ૮. આ પ્રમાણે જિનેશ્વરના ભામંડળ ૧, દુંદુભિ ૨, ચામર, ૩, છત્ર ૪, વાણી (દિવ્યધ્વની) ૫. અશોક વૃક્ષ ૬, પુષ્પવૃષ્ટિ ૭ અને સિંહાસન ૮ એ આઠ અતિ અદભુત શ્રેષ્ઠ પ્રાતિહાર્યો જગતમાં જયવંતા વતે છે. હે ભગવાન! તમારૂં મુખ શ્રી ધર્મરૂપી શ્રેષ્ઠ હંસને ક્રીડા કરવાના કમળની લક્ષ્મીને વિસ્તારનારૂ છે, અને તમે અનંત પદાર્થોને જાણનાર છે. તેથી આ પ્રમાણે મેં તમારી રસ્તુતિ કરી છે, તે એકત્રિમ હર્ષના સમૂહથી પૂર્ણ થયેલા મારા પર તમે પ્રસન્ન થાઓ. ” આ પ્રમાણે જગદીશની સ્તુતિ કરીને શ્રીકૃષ્ણ જિનેશ્વરની સન્મુખ અમૃતનાં સાર જેવાં પિતાનાં ને સ્થિરકરીને યોગ્ય સ્થાને બેઠા. ત્યાર પછી શ્રીજગનાથ એક જન સુધી વિસ્તાર પામતી, પાંત્રીશ ૧ અશોક નામના વૃક્ષપણાને. ૨ શેક રહિતપણાને,
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy