SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫). ગુણને ધારણ કરનાર ગુરૂ વિવેકી પુરૂષોએ વંદન કરવા લાયક છે, બીજા વંદન કરવા લાયક નથી.” ઈત્યાદિક આગમના વાક્યને રાજા પ્રમાણરૂપ ગણતું હતું, તેથી તેણે તે સૂરિને પૂછયું કે–“તમારામાં પૂજ્યપણું ક્યાં છે? અમે તે શ્રીમાન ગુરૂની અને સિદ્ધાંતની આજ્ઞામાં તત્પર છીએ અને તમે તે આગમમાં કહ્યા પ્રમાણે ચારિત્રને ધારણ કરનારા નથી, માટે અમે તમને નમસ્કાર નહીં કરીએ.” ત્યારે તે ગુરૂએ કહ્યું કે“દુઃષમ કાળમાં જએ છત્રીશ ગુણવાળાની જ જેમ છ ગુણવાળ પણ પૂજવા લાયક છે. કારણ કે સાધુની પૂજામાં નિગમનાં વાળે માન્ય કરવાનાં છે. નિગમમાં કહ્યું છે કે –“દુષમ કાળમાં છ ગુણના જે આરાધકે હેય તેને છત્રીશ ગુણના આ રાધકની જેમ આરાધવા. ઈત્યાદિક નિગમના વાવડે અમારે આચાર સર્વથા પ્રમાણભૂત છે.” તે સાંભળી રાજાએ કહ્યું-- અમે મહિમગુપ્ત આચાર્યના કહેવાથી નિગમનાં વચન પ્રમાણરૂપે માનતા નથી, માટે તમને નમવાના સંદેહરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન કોઈ પણ આગમનું વચન હોય તે બતાવે. કેમકે આગમમાં જે કહ્યું હોય, તેમાં જ અમારે વિશ્વાસ નિશ્ચળ છે.” ત્યારે ચેરનું આચરણ કરવામાં ચતુર એવા તે ગુરૂએ (જમદગ્નિએ કહ્યું કે –“હે રાજન ! આવા સમયમાં સિદ્ધાંતનાં વચનને નિર્ણય કરવો અશક્ય છે. કારણ કે આ દુઃષમ કાળમાં કાળના પ્રભાવથી અ૫ બુદ્ધિવાળા થયેલા જ શ્રી સિદ્ધાંતના વાક્યાર્થરૂપી રથને જોડવા સમર્થ નથી. ધર્મના નિશ્ચય કરનારે આ શબ્દસમુદ્ર પાર રહિત છે. જેમ કોઈ એક રથનું માળખું પાશ્ચમ સમુદ્રમાં નાંખ્યું હોય, તેની છેસરી ઉત્તર સમુદ્રમાં નાંખી હોય, તેનાં પૈડાંઓ પૂર્વ સમુદ્રમાં નાંખ્યાં હોય, તેનાં જોતર દક્ષિણ સમુદ્રમાં નાંખ્યાં હોય અને તેના ઘડાઓ આકાશમાં નાંખ્યા હેય, તે આ સર્વ રથની
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy