SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૫) લાગ્યા, કેટલાક ગાયન ગાવા લાગ્યા અને કેટલાક નૃત્ય કરવા લાગ્યા. તે વખતે રાજાએ પંડિતને કહ્યું કે – “ તમે આ મારા નવા સરોવરનું વર્ણન કરો.” ત્યારે પંડિતાએ નવા નવા કે બનાવી તે સરોવરનું વર્ણન કર્યું. પછી સેંકડે પંડિતેના અલંકારરૂપ ધનપાળ પંડિતને જોઈને ભેજરાજાએ કહ્યું કે –“ તમે પણ કવડે આનું વર્ણન કરે. ” ત્યારે પંડિતે તેનું વર્ણન કર્યું કે- “ આ તળાવરૂપી શ્રેષ્ઠ દાનશાળા હોય એમ જણાય છે. તેમાં મત્સ્ય વિગેરરૂપ રસોઈ નિરંતર તૈિયારજ છે, બક સારસ અને ચકવાક વિગેરે પક્ષીઓ અહીં પાત્રરૂપ છે. હવે તેમાં કેટલું પુણ્ય થાય છે? તે અમે જાણતા નથી.” તે સાંભળી રાજાને કેપ થયે, તેથી તેણે મને નમાં વિચાર કર્યો કે–“આ મારું સારું જોઈ શક્તો નથી, તેથી હું રાજમહેલમાં જઈને આનાં બન્ને નેત્રે લઈ લઈશ.” પછી સરોવરને મહત્સવ કરી લેકને દાન આપી સજા નગર તરફ ચા. પૂરમાં પ્રવેશ કરતાં રાજાએ એક કન્યાને હાથે વળગીને ચાલતી કઈ વૃદ્ધા સ્ત્રીને જે ધનપાળ પંડિતને કહ્યું કે – “ આ વૃદ્ધા શું કહે છે ? ” ત્યારે પંડિત શિધ્રપણે બે કે – “હે રાજા ! આ સ્ત્રી તમને જે વિચાર કરે છે કે શું આ મહાદેવ છે? શું આ વિષણુ છે? શું ઈદ્ર આવે છે? શું ચંદ્ર છે ? શું બ્રહ્મા છે ? શું કઈ વિદ્યાધર છે ? શું કામદેવ છે? શું નળરાજા છે ? કે શું કુબેર છે ? ના, ના, તેઓમાંથી તે આ કઈ પણ નથી, પરંતુ હે સખી પિતે કીડા કરવામાં પ્રવતેલા આ તો ભેજ રાજા છે.” આ પ્રમાણેને લેક સાંભળીને તુષ્ટમાન થયેલા રાજાએ કહ્યું કે– “હે પંડિત ! તું ઈચ્છિત વસ્તુને માગ.” પંડિતે કહ્યું કે – “હે. સ્વામી ! જે તમે મારા પર પ્રસન્ન થયા છે તે મારાં બે ને મને પાબં આપે.” રાજાએ કહ્યું કે – “તારાં નિર્મળ નેત્રે
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy