SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ કર્મની શુભાશુભતા ] ૩૭ [ આત્મતત્ત્વવિચાર - પરંતુ સેનાની આવડી મોટી પાટ હોય, એ વાત સોનીનાં મગજમાં બેઠી નહિ. આથી ચેરેએ તેને પાકી ખાતરી આપી, ત્યારે એ વાત તેણે સ્વીકારી લીધી. ‘આમાં મને શું મળશે?” સનીએ જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો. ચેરેએ કહ્યુંઃ “છ જણ અમે છીએ અને સાતમો તું. બધા સરખા ભાગે એ પાટ વહેચી લઈશુ. ” આ સાંભળી સોનીને વિચાર થયે કે “આવડી મોટી સેનાની પાટેનો એક પણ ભાગ આ ચાર શા માટે લઈ જાય ?' તેનાં મનમાં કપટ જાગ્યું અને તેમને એક પણ ટુકડે ન આપવાનું મનથી નક્કી કરીને કહ્યું: “તમારી વાત સાચી, પણ પેટ ભર્યા વિના આવું મહેનતનું કામ થઈ શકશે નહિ. માટે હું સાથે ચેડું ભાતું પણ લઈ લઉં. તમે પણ ખાજે અને હું પણ ખાઈશ.” એમ કહી સોનીએ સાથે લઈ જવા માટે સાત લાડવા તૈયાર કર્યા. તેમાં એક લાડો કંઈક નાને રાખે. એ નાના લાડવા સિવાય બાકીના છ લાડવામાં તેણે ઝેર ભેળવી દીધું. ધન પરની મૂચ્છ માણસની પાસે કેવાં કેવાં કામ કરાવે છે! - સેની બે ચારો સાથે જંગલમાં આવ્યો અને પિલી પાટ જોઈ ખૂબ ખુશ થયે. પછી તેણે કહ્યું: “આ કામ બહું મેટું છે, માટે પ્રથમ આપણે ડું ખાઈ લઈએ. પછી કામ શરૂ કરીશું.’ ચેરે તેમાં સંમત થયા. - સનીએ પિતાની પાસેનો ભાતાને દાબડો ઉઘાડો અને તેમાંથી સાત લાડુ કાઢ્યા. બધાને મેટા લાડુ પીરસ્યા અને પોતે નાને લીધે. આ વખતે ચોરેને શંકા આવી, એટલે તેમણે પૂછયું: “બધાને મેટા અને તમારે નાને કેમ?” સોનીએ કહ્યું: “મને સંગ્રહણીને રોગ છે, એટલે ડું જ ખાઉં છું.” આથી ચોરોનાં મનની શંકા ટળી છે અને તેમણે એ લાડવા પ્રેમથી ખાધા. સોનીએ વિચાર્યું કે ઝેર ચડતાં થોડી વાર લાગશે, . એટલે તેટલો સમય દૂર રહેવું સારું. આથી સહુની રજા લઈ તે હાજતે ગયે અને છેડે દૂર ઝાડીમાં લપાઈ બેઠે. આ બાજુ પાટને તેડવાનાં સર્વ સાધન મોજૂદ જોઈ ' ચિની દાનત બગડી, એટલે સોનીને સાતમો ભાગ ન આપવાના નિર્ણય પર આવી ગયા અને તે માટે તેનું કાસળ કાઢી નાખવાને વિચાર કર્યો. છે. બીજી બાજુ પેલો સની છ ચોરેને મરવાની રહે જોઈને બેઠે છે. આમ એકબીજા એકબીજાનું બૂરું ઈચ્છે છે, મરણું વાંછે છે. તેમને એમ કરાવનારી પેલી સેનાની પાટ છે! જ્યારે સોનીએ જોયું કે એ ચારેને બેહોશી આવવા - લાગી છે, ત્યારે તે ઝાડીમાંથી નીકળી નજીક આવી ગયે. 'ચેરીએ કહ્યું: “આટલી બધી વાર કેમ લગાડી? ચાલ, - હવે અમને પાણી પા. પછી આપણે ઝટ ઝટ કામે લાગીએ.” એની મનમાં ખુશ થયો. તેનાં મનને એમ કે આ લોકે પાણી પીશે કે તરત જ ઢળી પડશે. .
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy