SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ [ આત્મતત્ત્વવિચારન તે પાતાની ઝુંપડી પર પાછા ફર્યા, ત્યારે આ પાટ તેમનાં જોવામાં આવી. એ તો આ પાટ જોતાં જ આશ્ચય અને આનંદના અનુભવ કરવા લાગ્યા. ખાવાનું ખાવાનાં ઠેકાણે રહ્યું અને વિચાર કરવા લાગ્યા કે ‘હવે શું કરવું ? ' આ પાટ ઉપડી ઉપડે તેમ ન હતી કે તેને ઉપાડીને ઝુંપડીમાં મૂકી દે, એટલે તેના ટૂકડા કરી ઝુંપડીમાં ભરી દેવાને વિચાર કર્યાં. મનુષ્યને સુવણ ના કેટલા મેહ છે ? તે જુએ. જેણે ઘરખાર છેડ્યાં, ભગવાનની ભક્તિ કરવાના મા સ્વીકાર્યાં, તેનું મન પણ સુવર્ણની પાટ જોઈને ચળી ગયું.! આમ વિચાર કરતાં રાત પડવા આવી, અધારું થવા લાગ્યું. ત્યાં છ ચારે એ રસ્તે થઈ ને ચારી કરવા નીકળ્યા. એ દરેકના હાથમાં તરવાર હતી. સેાનાની પાટના ઝળહળાટ જોઈ તેઓ એ તરફ વળ્યા અને પાટની નજીક આવ્યા. ત્યાં ખાવાજીને બેઠેલા જોયા. ચેારાએ પૂછ્યું: આવાજી! અહીં કેમ બેઠા છે ? ’ આવાજીએ કહ્યું: ‘ આ મારી ઝુંપડી છે અને આ મારી શિલા છે, એટલે બેઠા છું. ’ ‘ તમારી પાસે આ સેનાની શિલા કયાંથી આવી ?? એક ચારે પૂછ્યું. 6 ઘણી ભક્તિ કરવાથી ભગવાને મને ભેટ આપી. ’ આવાજીએ જવાબ આપ્યું. ‘ અરે ઢોંગી! તું તા સાધુ છે. તારે સેાનાની પાટ શું કરવી છે? એ તે અમે જ લઈ લઈશુ. ’બીજા ચારે પડકારીને કહ્યું કસની શુભાશુભતા ] 34. ‘તમે શેના લઈ જાઓ એ તે મારી માલીકીની છે. ' હજી આ શબ્દો બાવાજીનાં મુખમાંથી પૂરા નીકળ્યા પણ નહિ, ત્યાં તે એનાં મસ્તક પર તરવારા તાળાણી અને તેનું મસ્તક ધડથી છૂટું થઈ ગયું. આ રીતે સેાનાની પાટે ત્રણ માણસાના ભાગ લીધા, પણ તેમાંનું કોઈ આ પાટના ટુકડા સરખા પામી શક્યું નહિ, પેાતાના મામાંથી કાંટા દૂર થયેલા જોઈ ચારા રાજી થયા અને હવે જીંદગીભર ચારી કરવાની જરૂર નહિ રહે, એ વિચારે ખુશખુશાલ થઈ ગયા. પણ આ પાર્ટને લઈ જવી શી રીતે ? એ પ્રશ્ન મેાખરે આબ્યા અને મયા વિચારમાં પડી ગયા. આ પાર્ટને ટુકડા કર્યા સિવાય તે લઈ જવાય તેમ ન હતું, એટલે તેના ટુકડા કરવા નિશ્ચય કર્યાં, પણ તેમની પાસે એવું કોઈ સાધન ન હતું કે જેનાથી તેઓ એ પાટના ટુકડા કરી શકે. આ વખતે તેમને નજીકનાં ગામમાં રહેતા એક સેાની યાદ આવ્યેા. તે સેાની આ ચારોએ ચારી આપેલી વસ્તુઓ સસ્તા ભાવે ખરીદી લેતા અને એ રીતે તેની સાથે સઅધ થયેલા. ચાર ચારા સેનાની પાટ સાચવવા રહ્યા અને એ ચાં સાનીને ખેલાવવા ગયા. તેમણે સાનીને ઊંઘમાંથી ઉઠાડચો, એટલે સેાની સમજ્યા કે તે ચારીને માલ લાવ્યા હશે. પણ ચારીએ કહ્યું: ‘તમારી પાસે છીણી, હથોડા વગેરે જે સાધન હાય તે લઈને ચાલે. સેાનાની પાટના ટુકડા કરવા છે.” પછી તેમણે સેનાની પાટનું વર્ણન કર્યું,
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy