SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન છેંતાલીસમુ’ સમ્યક્ ચારિત્ર [ ૨ ] મહાનુભાવે ! આપણાં પવિત્ર જિનાગમેામાં કહ્યું છે કે ‘ ગારસ્થદિ સવ્વ સાઢ્યો સંગમુત્તા-સવ ગૃહસ્થા કરતાં સાધુએ સયમમાં શ્રેષ્ઠ હોય છે. ' તાત્પર્ય કે એક ગૃહસ્થ ગમે તેટલું ઊંચુ ચારિત્ર ધરાવતા હાય તા પણ તે સામાન્ય સાધુની ખરાખરી કરી શકતા નથી. આથી સર્વવિરતિચારિત્ર કેટલું ઊંચુ' છે? તેના ખ્યાલ તમને આવી શકશે. સર્વવિરતિચારિત્રના અધિકારી • સવિરતિચારિત્ર માટે કાણુ અધિકારી ગણાય?’ એ સખ’ધમાં શાસ્ત્રોએ ઘણી ઊંડી વિચારણા કરી છે, પરંતુ તે બધાના સાર એ છે કે જે આત્મા સસારની અસારતાને ખરાખર સમજી ચૂકયો હાય, ભવભ્રમણથી અત્યંત ખેદ પામેલા હાય અને વિનયાદિર્ગુણાથી યુક્ત હાય તેને સ`વિરતિચારિત્રને ચેાગ્ય ગણવા. સર્વવિરતિચારિત્ર ધારણ કરનારને સાધુ, અણુગાર, ભિક્ષુ, યતિ, સયંતિ, પ્રત્રજિત, નિગ્રંથ, વિરત, શાંત, દાંત, મુનિ, તપસ્વી, ઋષિ, યાગી, શ્રમણ વગેરે અનેક નામેાથી આળખવામાં આવે છે. સવિરતિચારિત્ર અ‘ગીકાર કરતાં પ્રશ્નશુદ્ધિ, કાલશુદ્ધિ, સમ્યક ચારિત્ર ] ge ક્ષેત્રશુદ્ધિ, દિશાશુદ્ધિ અને વંદનાશુદ્ધિ એમ પાંચ પ્રકારની શુદ્ધિ જાળવવાની હાય છે. દીક્ષા લેવાની અભિલાષાથી કેાઈ મુમુક્ષુ ગુરુ સમીપે આવે ત્યારે હું વત્સ! તું કાણુ છે? કયાંથી આવ્યા? તારા માતાપિતાનું નામ શું ? તારા ધાર્મિક અભ્યાસ કેટલે છે? તને દીક્ષા લેવાના ભાવ શાથી થયા? તે માતાપિતાની અનુમતિ લીધી છે કે કેમ? તું દીક્ષાની જવાબદારી સમજે છે ખરા ?' વગેરે પ્રશ્નો પૂછીને જરૂરી માહિતી મેળવી લેવી તેને પ્રશ્નશુદ્ધિ કહે છે. જો આ પ્રશ્નના ઉત્તરા ઠીક ન મળે તે તેની વધારે તપાસ કરવી આવશ્યક ગણાય છે. અહીં નિમિત્તશાસ્ત્ર વગેરે દ્વારા પણ શિષ્યની પરીક્ષા કરવાના વિધિ છે. આ પરીક્ષામાં યાગ્ય જણાય તે તેને દીક્ષા દેવા માટે શુભ મુહૂર્ત જોવામાં આવે છે, તે કાલશુદ્ધિ સમજવી. ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાફાલ્ગુની અને રાહિણી એ ચાર નક્ષત્રા દીક્ષા માટે ખહુ સારાં ગણાય છે. અને પક્ષની ચતુર્દશી, પૂનમ, આઠમ, નામ, છ, ચેાથ અને ખારશ એ તિથિએ દીક્ષા માટે વર્જ્ય છે, એટલે તે સિવાયની તિથિમાં દીક્ષા આપવી જોઈએ. દીક્ષા સારાં સ્થાનમાં આપવી તે ક્ષેત્રશુદ્ધિ ગણાય છે. અહીં સારાં સ્થાનથી શેરડીના વાઢ, ડાંગરનુ ખેતર, સાવરની પાળ, પુષ્પસહિત વનખ’ડ અર્થાત વાડી–માગમગીચા –ઉદ્યાન, નદ્દીના કિનારા તથા જિનચૈત્ય સમજવાં. દીક્ષા આપ્રતી વખતે શિષ્યને પૂર્વાભિમુખ, ઉત્તરા
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy