SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ કાબૂમાં રાખું રે પૂછયું: ‘તે વિષયમાં દેડ ૩૪૨. [ આત્મતત્ત્વવિચાર રહેલા ઘોડાને હું શ્રત (શાસ્ત્ર) રૂપી - લગામથી બરાબર કાબૂમાં રાખું છું, તેથી તે ઉન્માર્ગે જતો નથી.” . શ્રમણ કેશકુમારે પૂછયું: “તે ઘડો કયો ?' શ્રી ગૌતમે કહ્યું: “સંસારના વિવિધ વિષયમાં દેડી રહેલું મન જ .” - આ પરથી ઇંદ્રિય અને મનને જિતવાનું કામ કેટલું મહત્ત્વનું છે, તે બરાબર સમજી શકાય છે. શ્રી આનંદઘનજીએ સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાનનું સ્તવન કરતાં કુંથુજિન ! મનડું કિમ હિ ન બાજે' એ શબ્દ વડે મનની: અવસ્થાનું જે વર્ણન કર્યું છે, તે બરાબર સમજવા ચોગ્ય છે. ' ધર્મના વિશેષ પ્રકારે આ રીતે ધર્મના વિશેષ પ્રકારે પણ સંભવે છે, પરંતુ તે બધા એક યા બીજી રીતે આ પ્રકારમાં અંતર્ગત થઈ જાય છે, એટલે તેને વિશિષ્ટ ઉલ્લેખ અહીં કરતા નથી. ' ધર્મના વિવિધ પ્રકારો જોઈને મુંઝાવું નહિ. મહાપુરુષેએ મુમુક્ષુઓને માર્ગદર્શન મળે તે માટે એ પ્રકારે પ્રરૂપેલા છે અને તે કલ્યાણકારી છે. 3. મહાપુરુષે જીવની યોગ્યતા પ્રમાણે કેટલીક વખત , વિચિત્ર સાધનને પણ ઉપદેશ કરે છે, એ લક્ષમાં રાખવાનું છે. આપણને એમ લાગે કે આવું શું કહ્યું? પણ એ રીતે'. જીવનું કલ્યાણ થાય છે. બે દષ્ટાંતથી આ વાત સ્પષ્ટ સમજાશે. કુંભારની ટાલ જોવાને નિયમ એક ધર્મિષ્ઠ શેઠ હતું. તેને એક પુત્ર હતા. તે ઘણે ધર્મના પ્રકારે ] ૩૦૦ ઉદ્ધત અને સ્વચ્છંદી હતો. ધર્મ શું કહેવાય? તેની એને ( ખબર ન હતી. ન જવું દહેરે, ન જવું ઉપાશ્રયે. માતાપિતા બે શબ્દો હિતના કહે, તે પણ સાંભળવા નહિ. આવાઓને છે માતાપિતા ''3 5* ધર્મની ખબર શું પડે ? ' ' એક વાર એ ગામમાં કઈ સાધુ-મહાત્મા પધાર્યા. તેમને ઉપદેશ સાંભળવા ઘણું લેકે એકઠા થયા, તેમાં આ શેઠ પણ પિતાના પુત્રને લઈને ગયો. જ્યારે ઉપદેશ સાંભળીને બધા માણસો વિખરાયા, ત્યારે શેઠે સાધુ–મહાત્માને વિનંતિ કરી કે “કૃપાળુ ! મારા પુત્રને કંઈક ધર્મ પમાડે, જેથી તેનું કલ્યાણ થાય. મારી વાત તો એ કંઈ પણ માનતા નથી.” - સાધુ મહાત્માએ તેને ધર્મનો સુંદર ઉપદેશ આપ્યો, અને કંઈ પણ નિયમ લેવાનો આગ્રહ કર્યો. ત્યારે એ ઉદ્ધત અને સ્વચ્છંદી પુત્રે મશ્કરીમાં કહ્યું કે “મારાથી બીજા તે કેઈ નિયમ લેવાય એમ નથી, પણ મારાં ઘરની નજીક એક કુંભાર રહે છે, તેની ટાલ જોઈને પછી ખાવું, એવો નિયમ લઈ શકીશ.' - સાધુ મહાત્માએ કહ્યું: “આ તો ઘણું સરસ ! તું. લીધેલ નિયમ જરૂર પાળજે. જે માણસે નિયમ લઈને તેડે છે, તેની દુર્ગતિ થાય છે.”, ' ' , કુંભાર વાડામાં એક જ સ્થળે બેસીને વાસણ ઉતારતા હતું અને તેનું માથું પિતાનાં ઘરમાંથી જરા ઊંચા થતાં જ દેખાતું હતું, એટલે તેમાં ખાસ તકલીફ નહિ પડે, એમ
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy