SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ આઠકમાં ૪પ૯ પિશાચે જવાબ આપ્યો કે “થોડીવાર પહેલાં તું જેની માગણી કરતા હતા, તે હું મત છું. ભગવાને મને મોકલ્યું છે.' આ તે ભારે થઈ ! મત આટલું ઝડપથી અને આવી રીતે આવી પહોંચશે એની તે કલ્પના પણ ન હતી. હવે શું કરવું ! ગમે તેમ પણ તેને અત્યારે મરવું ન હતું, એટલે તેણે બુદ્ધિ લડાવીને જવાબ આપે કે આસપાસ ક્યાંય પણ મેં આ લાકડાને ભાર ઉંચકાવનાર કોઈને જે નહિ. પરંતુ મને ખબર હતી કે મોત બધે હોય છે, એટલે મેં ભગવાન પાસે મત માગ્યું કે જેથી તે આવીને મને લાકડાને ભારો ઉચકાવે.” | ભૂત બધી વાત સમજી ગયું. તેને તો માત્ર પરીક્ષા જ કરવી હતી, એટલે ભારે હચકાવીને તે પોતાને રસ્તે પડયું. આમ દુઃખમાં પણ માણસને મત ગમતું નથી. આયુષ્ય બે પ્રકારનું છે : (૧) સેપક્રમ અને (૨) નિરુપકમ. તેમાં શસ્ત્ર, વિષ, અગ્નિ તથા બીજા અકસ્માતને કારણે જેની કાલમર્યાદા હીન થઈ જાય તે સોપકમ અને હીન ન થઈ શકે તે નિરુપકેમ સમજવું. તિય"ચ અને મનુષ્ય સેપકમ આયુષ્યવાળા હોય છે, પરંતુ તેમાં કેટલોક અપવાદ છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિયચ, યુગલિક મનુ, ચરમ શરીરી એટલે જેને એ જ ભવમાં મોક્ષે જવાનું છે તે તથા શલાકા પુરુષ એટલે તીર્થકર, ચકવર્તી, બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એ નિરુપકમ આયુષ્યવાળા હોય છે.
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy