SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ઇકબજો Shahrushti - - sscoooooook - વ્યાખ્યાન એગણીશમું કર્મબંધ મહાનુભાવે ! આત્મતત્વનો વિચાર કરતાં કર્મને વિષય ઉપસ્થિત થયે છે અને તેનું વર્ણન ચાલી રહ્યું છે. રામાયણ વાંચતાં રાવણનું અને મહાવીરચરિત્ર વાંચતાં ગોશાળાનું વર્ણન આવે, એ સ્વાભાવિક છે. ' “કર્મ કોને કહેવાય?” તથા “કમની શક્તિ કેટલી ?' એ વિષે ગત વ્યાખ્યાનમાં અમે વિસ્તારથી વિવેચન કરેલું છે, પણ આ વિષય ગહન છે અને તે વિષે અમારે હજી ઘણું કહેવાનું છે, માટે તમે બરાબર ધ્યાન આપજે. કાયા અહી અને મન બીજે, એવી હાલતમાં કોઈ પણ સૂમ વિષય ગ્રહણ થઈ શકે નહિ” રંગભૂમિ પર ભજવાતાં નાટકોમાં સજજન અને ખલ એ બંને જાતના પાત્ર હોય છે. તેમાં ખલનું કાર્ય સજજન પુરુષની વિવિધ રીતે સતામણી કરવાનું હોય છે. આ કાર્યમાં તે કેટલીક વખત ફાવી જાય છે, પણ આખરે તેના હાથ હેઠા પડે છે અને તે ભૂંડા હાલે માર્યો જાય છે. સંસારરૂપી નાટકમાં પણ બરાબર આવી જ ઘટના બને છે. તેમાં સજજનને સ્થાને આત્મા છે અને ખલને સ્થાને કર્યું છે,
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy