________________
૩૫૬
આત્મતરવવિચાર
જેમ એક ઘરમાં માતા, પિતા, ભાઈ, ભગિની વગેરે જુદી જુદી વ્યક્તિઓ રહી શકે છે, તેમ એક આકાશના પ્રદેશમાં જુદા જુદા દ્રવ્ય રહી શકે છે. તેમાં ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય વ્યાપેલા હોય છે, પરમાણુ રૂપે પુદ્ગલ હોય છે અને આમાઓના પ્રદેશે પણ અનંતા અનંત હોય છે. પરંતુ તે એક બીજાને ધક્કો લગાડતા નથી.
સમસ્ત લેકમાં પુદગલે ઠાંસી ઠાંસીને ભરેલા છે અને કાર્પણ વગણ પણ સર્વત્ર વ્યાપેલી છે, તેથી ચૌદ રાજલકના કેઈ પણ ભાગમાં રહેલે આત્મા આ કાર્મણ વગણના પુદગલેને તરત જ ગ્રહણ કરી શકે છે આ પુદ્ગલે ગ્રહણ થયા પછી આત્મપ્રદેશ સાથે ઓતપ્રોત થઈ જાય, ત્યારે તેને કર્મ કહેવામાં આવે છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે “બીજું કંઈ નામ ન આપતાં કર્મ નામ કેમ આપ્યું?” આ પ્રશ્નને અમે ઉત્તર આપીએ છીએ. આ દુનિયામાં કેટલાંક નામ ગુણનિષ્પન્ન હોય છે અને કેટલાંક નામે રૂઢ હોય છે. તમે છોકરે રુપાળે હોય છતાં કાળિયે કે કાલિદાસ કહે છે. ડાહ્યો હોય છતાં ગાંડ કે ગાંડાલાલ કહો છો અને બડે તોફાની હોય છતાં શાંતિ કે શાંતિલાલ કહે છે. આ બધા રૂઢ નામ છે. ઘણા માણસ નામના શોખીન હોય છે, એટલે તેમને કર્ણમધુર સુંદર નામો ગમે છે. પણ જેવાં તેવાં નામો ગમતાં નથી. આથી તેઓ પિતાનું નામ બદલે છે અને મનમાં કુલાય છે કે અમારું નામ કેવું સુંદર પડયું! પણ નામમાં શું રાખ્યું