SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની શક્તિ તેમણે વિક્રિય લબ્ધિના ગે પોતાનું શરીર વધારવા માંડયું અને જોતજોતામાં તેને એક લાખ વજન પ્રમાણવાળા મેરુપર્વત જેવડું બનાવી દીધું અને પોતાનો એક પગ લવણસમુદ્રના પૂર્વ કિનારે અને બીજો પગ પશ્ચિમ કિનારે મૂકીને ઊભા રહ્યા. તાત્પર્ય કે હવે તેમને ત્રીજું પગલું ભરવાની જરૂર રહી ન હતી. આ ભયંકર બનાવે પૃથ્વીમાં હાહાકાર મચાવી દીધે. એ જોઈને ઈન્દ્ર દેવાંગનાઓને આજ્ઞા કરી કે “મહામુનિ વિષ્ણુકુમાર કોપ પામ્યા છે, માટે તમે સર્વજ્ઞનાં કહેલાં શાસ્ત્રોને ભાવ ગાયનમાં ઉતારી તે ગાયન તેમની આગળ ગાઓ, એટલે તેમને કોપ શાંત થાય. અન્યથા આ અખિલ વિશ્વ ઘડીકમાં જ અભૂતપૂર્વ આફતમાં સપડાઈ જશે. આથી દેવાંગનાઓ એ પ્રકારના ગાયન ગાવા લાગી. આ બાજુ નમુચિ તેના સિંહાસન પરથી પટકાઈ પડયો હતા અને તેના મુખમાંથી લેહી નીકળી રહ્યું હતું. બીજી બાજુ મહારાજા પદ્મ-મહામુનિ વિષ્ણુકુમારને ગદગદ્દ કંઠે પ્રાર્થના કરી રહ્યા હતા કે “ હે મહર્ષિ! હે કરુણાસાગર! આપને કેપ શાંત કરો. આ નરાધમ નમુચિ સાધુ મહાત્માઓને સતાવી રહ્યો છે, તેની મને હજી સુધી ખબર પડી નહિ, તેમજ કોઈએ મને કહ્યું પણ નહિ પરંતુ નમુચિ મારે સેવક હોવાથી એ અપરાધ મારો છે, માટે મને ક્ષમા આપ.” દેવ અને દાનવોના રાજા પણ આવી જ સ્તુતિ કરી રહ્યા હતા અને સકળ સંઘ પણ તેમને શાંત થવા વિનવી
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy