________________
આત્મતત્ત્વવિચાર
એક વખત વાલાદેવીએ જિનેશ્વરના મહાન રથ તૈયાર કાખ્યા, ત્યારે લક્ષ્મીદેવી નામની મીજી રાણીએ ઈર્ષ્યાથી બ્રહ્મરથ તૈયાર કરાખ્યા. પછી રથયાત્રાના પ્રસ`ગ આવ્યા ત્યારે લક્ષ્મીદેવીએ પદ્મોત્તર રાજા આગળ માગણી કરી કે ‘ નગરમાં મારા બ્રહ્મરથ પહેલે ચાલે, નહિ તે હું આપઘાત કરીને મરણુ પામીશ.' વાલાદેવી કહે, ‘જો મારા જિનરથ પહેલા નહિ ચાલે તે મારે આજથી જ અન્નજળના ત્યાગ છે, એમ સમજજો.' આ રીતે બન્નેને ચડસ પર આવેલી જોઇ પદ્મોત્તર રાજાએ ત્રીજો જ માર્ગ કાઢ્યો, કે ‘કાઇએ પણ રથ કાઢવા નહિ.? જ્યાં એમાંથી કાઇ નમતું ન આપે, ત્યાં ખીજું શુ ખની શકે?
૨૮૪
આ બનાવથી મહાપદ્મકુમારને ઘણું ખાટુ' લાગ્યુ.. રાજ્યમાં પાતે કર્તા-હર્તા અને પેાતાની માતાના જ થ આ રીતે અટકે, તે તેનાથી સહન થયું નહિ. તેણે એ જ વખતે મનથી સ`કલ્પ કર્યો કે ‘જયારે મારી માતાના રથ આ નગરમાં હું નિરંકુશપણે ફેરવું ત્યારે જ ખરો, ' અને તે જ રાત્રે તેણે હસ્તિનાપુરના ત્યાગ કર્યાં.
સવારે સહુને ખબર પડી કે મહાપદ્મકુમાર એકાએક ચાલ્યા ગયા છે, ત્યારે સહુના શાક તાપના પાર રહ્યો નહિ. વિષ્ણુકુમાર થાડા અનુચરા સાથે તેને શેધવા નીકળી પડ્યા, પરંતુ પત્તો લાગ્યા નહિ. આથી તે નિાશ થઈને પાછા ફર્યો. ત્યારથી તેમનું મન વૈરાગ્ય તરફ્ ઢળ્યું અને તેએ સાધુ-સ ́તાના વિશેષ સમાગમ કરવા લાગ્યા.