SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની શક્તિ નહેતી સુનંદાને કોઈ પ્રકારની ચિંતા. બંને પિતપોતાના જીવનમાં મસ્ત હતાં અને સુખચેનમાં દિવસે પસાર કરતાં હતાં. પણ હવે બંનેને પિતાની સુખશમ્યા ઝેર જેવી લાગવા માંડી, કારણ કે બંનેને એકબીજાને મળવાની તાલાવેલી જાગી હતી. સુનંદાનું હદય રૂપસેને ચારી લીધું હતું અને રૂપલેનનું હૃદય સુનંદાએ ઘેરી લીધું હતું. બંને એકબીજાના મોહમાં પડવાથી દુખને અનુભવ કરી રહ્યા હતા, માટે જ શાસ્ત્રકારોએ મહને સર્વ દુઃખનું કારણ કહ્યો છે. આ રીતે દિવસે ઉપર દિવસ પસાર થાય છે અને બંનેને અરસપરસ મળવાની ઉત્કંઠા તીવ્ર બનતી જાય છે. એવામાં રાજા તરફથી ઢઢેરો પીટા કે કૌમુદી-ઉત્સવ નજીક આવી રહ્યો છે, તેની ઉજવણી માટે રાજારાણી નગર બહાર પધારશે, તે વખતે બધા નગરજનોએ તેમની સાથે ગામ બહાર આવવું અને ઉત્સવમાં ભાગ લે. સુનંદાને લાગ્યું કે આ અવસરે રૂપાસેનને મળી શકાશે, એટલે તેણે રૂપસેનને કહેવડાવ્યું કે “તમારે કોઈ પણ બહાનું કાઢીને ઘરે રહેવું અને અમુક સમયે રાજમહેલના પાછળના ભાગમાં આવવું. ત્યાં ઉપર ચડવા માટે દેરડાની સીડી તયાર હશે.” કૌમુદી-ઉત્સવના દિવસે સુનંદા માથું દુખવાનું બહાનું કાઢી ઘરે રહી, રૂપસેન પેટ દુઃખવાનું બહાનું કાઢી ઘરે રહ્યો હવે શત્રિ ક્યારે પડે અને એકબીજાને કયારે મળીએ, એ
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy