SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ mmmmmmmmmmmmmmmm ૨૪૨ આત્મતત્ત્વવિચાર ગે અસત્યને સત્ય માને છે અને સત્યને અસત્ય માને છે, એટલે તે ખેટા રસ્તે ચડી જાય છે અને પરિણામે તેનું ભવભ્રમણ અનેકગણું વધી જાય છે. ભવભ્રમણમાં જન્મ, જરા અને મૃત્યુનાં મહાદુખે ઉપરાંત બીજા પણ અનેક પ્રકારનાં દુઃખ ભોગવવા પડે છે. આવા મહા અનર્થકારી મિથ્યાત્વને તમે હદયમાંથી દૂર ન કરે, હાંકી ન કાઢે તે તમારી ચતુરાઈ શા કામની? તમારાં ડહાપણને ઉપયોગ શો? અમે તે તમને જિનવચન અનુસાર પિકારીને કહીએ છીએ કે “મિથ્યાત્વને દૂર કરે, એટલે સમ્યકત્વને સૂર્ય તમારા હૃદયમાં પ્રકાશમાન થશે અને સ ત્વને સૂર્ય પ્રકાશમાન થશે, એટલે બધી વસ્તુઓ સાચાં સ્વરૂપે નજરે પડશે જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું નથી, તેને સમ્યગજ્ઞાન પ્રાપ્ત થતું નથી. તે અંગે શાસ્ત્રકાર ભગવતે કહે છે કે नादंसणिस्स नाणं, नाणेण विणा न हुंति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ।। જેને સમ્યગદર્શન અર્થાત સમ્યકત્વ પ્રાપ્ત થયું નથી, તેને સમ્યગજ્ઞાન પ્રાપ્ત થતું નથી. જેને સમ્યજ્ઞાન પ્રાપ્ત થયું નથી, તેને સમ્યફ ચારિત્ર પ્રાપ્ત થતું નથી, જેનામાં સમ્યફચારિત્રના ગુણે પ્રકટ્યા નથી, તે કર્મ બંધનમાંથી મુક્તિ પામતું નથી અને જે કર્મબંધનમાંથી મુક્તિ પામતે નથી, તેનું નિર્વાણ થતું નથી.” આનો અર્થ એમ સમજ કે જે સમકિતી છે, જેને
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy