SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાન કયારે થાય છે ૨૩૫ જે માતપિતા તરીકે તમારા બાળકોનું કલ્યાણ ઈચ્છતા છે તે પણ નાનપણથી જ તેમને ત્યાગી ગુરુ મહારાજને સંગ કરા, ગુરુ મહારાજનાં પડખાં સેવવા દે, તેઓ એમને જે જ્ઞાન આપશે જે સંસ્કાર આપશે તે આ ભાડુતી શિક્ષકે આપી નહિ શકે. છોકરાઓને પ્રથમ રખડવા દેવા અને પછી બૂમ મારવી કે છોકરો રખડેલ થઈ ગયે.” “કોઈનું માનતે નથી.” “હાથથી ગો” એથી શે દહાડો વળે? ડાહ્યા માણસે જે કંઈ કરવું તે પ્રથમથી જ સમજી-વિચારીને કરવું. તમને ભીતિ છે કે બાળકને જે ત્યાગી ગુરુ મહારાજનો સંગ કરાવીશુ, તેમની પાસે વધારે જવા દઈશું તે તે વૈરાગી. ત્યાગી બની જશે અને આપણાં કામને નહિ રહે, પણ દશ દષ્ટાંતે દુર્લભ એવો મનુષ્યભવ પામીને તે અજ્ઞાનમાં સબડે, અનાચારનું સેવન કરે અને પરિગ્રહમાં મૂછિત બની દુર્ગતિને ભાગી થાય, એની કોઈ ફિકર નથી ને? વૈરાગ્ય અને ત્યાગ સારી વસ્તુ છે કે ખરાબ? એને પ્રથમ તમારા દિલમાં બરાબર નિર્ણય કરો. તમે વૈરાગ્ય અને ત્યાગને ખરાબ માનતા હે અને સંસારસુખને જ સાચું સુખ માનતા છે તે તમારાં બાળકને ત્યાગી ગુરુ મહારાજથી દૂર રાખે એ સમજી શકાય એવું છે, પણ તમે વૈરાગ્ય અને ત્યાગને ઉત્તમ માને, તેની વારંવાર અનુમોદના કરો અને તમારાં બાળકોને ત્યાગી ગુરુ મહારાજથી દૂર રાખવાનો વિચાર કરો, એ કઈ રીતે સંગત ગણાય? જેમ હસવું અને લેટ ફાક એ સંગત નથી, તેમ વૈરાગ્ય-ત્યાગને ઉત્તમ માનવા અને બાળકોને તેનાથી દૂર રાખવા એ સંગત નથી,
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy