SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ આત્મતત્વવિચાર. ~ ~ ~ ~ ~ ~~~ ~~~~~~ ~~ ઘેરાવા લાગ્યું અને વરસાદ-પાણી ખૂબ સારાં થયાં. એ વર્ષે એટલું અનાજ પાકયું કે કૂતરા પણ ન ખાય. આથી રાજા વિચાર કરે છે કે અનાજને માટે જ હવે ફેંકી દે પડશે અને રાજ્યને તેથી ખૂબ નુકશાન સહન કરવું પડશે. આ બધું નુકશાન પેલા નિમિત્તિયાને આભારી છે, માટે તેને સખત શિક્ષા કરવી જોઈએ.” એવામાં એક જ્ઞાની પુરુષ તે ગામમાં પધાર્યા. લોકો તેમનો ઉપદેશ સાંભળવા ઉમટયા. શું તેમનો ઉપદેશ! શું તેમની વાણી! લોકોના આનંદનો પાર રહ્યો નહિ. આ વાત રાજાએ જાણું, એટલે તે પણ ઉપદેશ સાંભળવા આવ્યા. ઉપદેશ સાંભળતાં તેના મન પર ખૂબ અસર થઈ અને હૃદયમાં ભક્તિભાવ જાગ્યો. પછી તે રોજ ઉપદેશ સાંભળવા આવે. એક વાર રાજાએ પૂછયું કે “હે ભગવંત! નિમિત્તિ ઘણે જ્ઞાની હતા, છતાં ખાટે કેમ પડયે? તેના કહેવા મુજબ દુકાળ તે ન પડે. પણ એ સુકાળ પડયે કે ન પૂછો વાત.” ગુરુએ કહ્યું કે “ગ્રહના એગ એવા છે કે આ વર્ષે દુકાળ પડવે જોઈતું હતું, પણ એક શેઠને ત્યાં મહાપુણ્યશાળી આત્માને જન્મ થયે, એટલે દુકાળ સુકાળમાં ફરી ગયા અને સહુને લીલાલહેર થઈ. ” આ જ વખતે વ્યાખ્યાનમાં પેલા શેઠ હાજર હતા કે જેને ત્યાં એને જન્મ થયો હતો. તેણે ગુરુ મહારાજનાં કથનમાં સંમતિ આપીને કહ્યું કે “આ છોકરાને જન્મ થયા પછી મારી રિદ્ધિસિદ્ધિમાં ઘણે વધારો થયો છે. આજે અમે ખૂબ સુખી અને સંતુષ્ટ છીએ.”
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy