SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ આમાનું મૂલ્ય ૧૨૭ ^^ ^ ^^^^^^^ ^ ^^^^ ^^ ^ ^ ^^ કેટલાક વખત પછી એ કારભારીને વિચાર આવ્યો કે એક કરતાં બે ભલા એટલે બીજે મિત્ર બનાવ્યું, પરંતુ તેને કોઈ પર્વ કે તહેવારને દહાડે હોય ત્યારે જ મળવાનું રાખ્યું. ત્યાર પછી એક ત્રીજે મિત્ર પણ બનાવ્યું, પરંતુ તે કઈક જ વાર મળતા અને જુહાર કરીને ચાલ્યો જતે. આમ એકના બે થયા અને એના ત્રણ થયા, એટલે તેમને ઓળખવા માટે કંઈક નામ રાખવું જોઈએ, તેથી કારભારીએ એ ત્રણે મિત્રોના નામ રાખ્યાં. પહેલાંનું નામ નિત્યમિત્ર, બીજાનું નામ પર્વમિત્ર અને ત્રીજાનું નામ જુહારમિત્ર. એક વખત કારભારીને વિચાર આવ્યું કે “મેં મિત્રો તે બનાવ્યા, પણ તે સંકટ સમયે કેટલી સહાય કરે છે, તેની પરીક્ષા કરવી.” આથી તેણે એક પ્રપંચ રચ્યું. રાજાના કુંવરને પિતાને ત્યાં જમવા તેડા અને તેને પિતાના પુત્રની સાથે રમતગમતમાં લગાડી ઘરની અંદરનાં ગુપ્ત ભોંયરામાં ઉતારી દીધો. પછી બીજા પુત્રની સાથે પોતાની સ્ત્રીને પિયર મોકલી દીધી અને જેનાં પેટમાં વાત ન ટકે એવા એક નેકરને બોલાવીને કહ્યું કે “આજે રાજાના કુંવરને આપણે જમવા તેડયો હતો, પણ તેનાં અતિ મૂલ્યવાન ઘરેણા જઈને મારી બુદ્ધિ બગડી. એટલે મેં તેની ડોક મરડીને ઘરેણાં કાઢી લીધાં. પણ હવે મને રાજાની બીક લાગે છે, એટલે હું ઘર છોડીને જતો રહું છું અને કેઈક સ્થળે સંતાઈ રહીશ. જે રાજાના માણસે તપાસ કરવા આવે તે આ ગુપ્ત ભેદ પ્રકટ કરીશ નહિ, પણ તારી અક્કલ લડાવીને એનો જવાબ આપજે કે જેથી મારા પર ધાડ આવે નહિ.” આટલી ભલામણ કરી
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy